________________
૨૪3
નૈષેલિકી સામાચારી / ગાથા : ૪૪ અનુજ્ઞાત નહિ હોવાથી=ભગવાનની આજ્ઞા નહિ હોવાથી, તે રીતે રહેનારની=સંયમયોગમાં દઢ યત્ન વિના રહેનારની, વૈષધિથી શુદ્ધ જ નથી વસતિમાં લિસીહિ' પ્રયોગ કરીને દઢ યત્ન વગર વસતિમાં રહેતા હોય તેની વિસીહિ' શુદ્ધ જ નથી. વળી દઢ પ્રયત્નથી વસતિવિષયક અવસ્થામાં અથવા ધ્યાનવિષયક અવસ્થામાં લિસીહિ' એ પ્રકારનો વચનપ્રયોગ ઈષ્ટ જ છે; કેમકે “લિસીહિ' વચનપ્રયોગરૂપ સહકારીથી સંપન્ન એવી ઐધિકી સામાચારી વડે ફલજનનમાં નિર્જરારૂપ ફળ જતનમાં, વિલંબતનો અભાવ છે. આથી કરીને રૂઢપ્રયત્નથી અવસ્થામાં લિસીહિ' વચનપ્રયોગ ઈષ્ટ છે આથી કરીને જ, આતા પાલન માટે દઢયત્નથી અવસ્થાનના પાલન માટે, સ્વાધ્યાયાદિમાં અસમર્થને “ગ્રીષ્મઋતુમાં સંયમીઓ આતાપના લે છે" ઈત્યાદિને કહેનાર સૂત્રમાં ઉદ્યમ કહેવાયો છે. આ= સ્વાધ્યાયાદિમાં અસમર્થને દઢયત્વથી અવસ્થાનના પાલન માટે ગ્રીષ્મઋતુમાં આતાપતામાં ઉદ્યમનું કથન, યતિદિનચર્યામાં ગ્રંથકાર વડે સ્પષ્ટ કરાયું છે. I૪૪ના
* ‘ક્ષામપિ' માં ‘વિ' થી એ કહેવું છે કે, લાંબો સમય તો પ્રમાદ ન કરાય, પરંતુ ક્ષણ પણ પ્રમાદ ન કરાય.
* ‘ત્યાધુમો' ઈત્યાદિથી અહીં સૂત્રના અવશેષ ભાગનો સંગ્રહ કરવો. ભાવાર્થ :
સાધુને સંયમયોગની વૃદ્ધિ કરે એવા મન, વચન અને કાયાના વિષયમાં દઢ યત્ન વગર એક ક્ષણભર પણ રહેવાની ભગવાનની આજ્ઞા નથી. આથી સાધુ વસતિમાં નિસાહિ” પ્રયોગ કરીને પ્રવેશ કરે છે, જેથી તે નિસીહિ' પ્રયોગના બળથી વસતિમાં રહીને સંયમયોગમાં સાધુનો દૃઢ પ્રયત્ન ચાલુ રહે છે. ત્યાર બાદ કોઈક કારણ ઉપસ્થિત થતાં વસતિની બહાર જવાનું થાય ત્યારે પણ સાધુ અવશ્ય કર્તવ્યની “આવસ્સિયાએ' એ પ્રયોગ દ્વારા પ્રતિજ્ઞા કરીને વિધિપૂર્વક તે અવશ્ય કર્તવ્યની સમાપ્તિ કરે છે, અને ફરી જ્યારે વસતિમાં પ્રવેશે ત્યારે સંયમયોગમાં દઢતર પ્રયત્ન જીવંત રહે તદર્થે ‘નિસાહિ” પ્રયોગ કરે છે.
જે સાધુ સંયમયોગને અનુકૂળ મન, વચન અને કાયાના યોગમાં દઢ યત્ન કરતા નથી, તેઓની નિરીતિ શુદ્ધ જ નથી, પરંતુ વચનમાત્રના પ્રયોગરૂપ છે, અને જે સાધુ દઢ પ્રયત્નથી વસતિમાં અવસ્થાને કરે છે, તેનો “નિસહિ' વચનપ્રયોગ ઈષ્ટ એવી નિર્જરાનો સાધક હોવાથી ઈષ્ટ જ છે; કેમ કે દઢયત્નરૂપ સહકારથી સંપન્ન એવી તે નૈષધિથી સામાચારીનું પાલન હોવાને કારણે નિર્જરારૂપ ફલજનનમાં વિલંબન થતું નથી. તેથી વસતિમાં ‘નિસીહિ' પ્રયોગ કરીને રહેલા એવા સાધુને પણ ધ્યાનમાં દૃઢ યત્નનો અતિશય કરવા અર્થે કે સ્વાધ્યાયમાં દઢ યત્નનો અતિશય કરવા અર્થે ‘નિસીહિ'નો પ્રયોગ કરીને તે ક્રિયાનો પ્રારંભ કરવો જોઈએ. પરંતુ જે સાધુઓ સ્વાધ્યાયાદિ કરીને સંયમના પરિણામમાં દઢ યત્ન કરી શકે તેવા નથી, તેઓને પણ સંયમયોગમાં દૃઢ યત્ન કરવા માટે ગ્રીષ્મઋતુમાં આતાપના લેવાનો ઉદ્યમ કરવાનું શાસ્ત્રમાં કહેલ છે.
દશવૈકાલિક સૂત્રના શાસ્ત્રપાઠનો અર્થ આ પ્રમાણે છે :
१. श्रीदशवैका० ३-१२ आतापयन्ति ग्रीष्मेषु । अस्य शेषः भागः - हेमंतेसु अवाउडा, वासासु पडिलीणा संजया सुसमाहिया ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org