SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ નૈવિકી સામાચારી / ગાથા : ૪૨ ૨૩૩ નિસીહિ પ્રયોગથી દઢ યત્ન અને ઉપયોગ પ્રવર્તે છે અને તેના કારણે કર્મક્ષયરૂપ ફલની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ઉત્થાન : મૂળ ગાથાનો અર્થ પૂર્વમાં પૂરો કર્યો. હવે નૈષધિથી સામાચારીમાં ‘નિસીહિ' પ્રયોગ કઈ રીતે નિર્જરાના ફળમાં ઉપયોગી છે અને તે સ્થાને આવશ્યકી' પ્રયોગ કેમ નિર્જરાનું કારણ બનતો નથી, તે સ્પષ્ટ કરવા માટે કહે છે – ટીકા : एवं चावश्यकर्त्तव्येऽप्यत्र पापनिषेधत्वेनैव तत्कामना, तत्काम्यार्थमेव चावश्यकीविषयापेक्षयाऽत्यन्तमुपयुञ्जानः फलं लभते । इत्थं चैतत्पर्यवसितं-देवाद्यवग्रहप्रवेशे नैषेधिकीप्रयोगो विचित्रकर्मक्षयहेतुः, स्वप्राग्भाविप्रयत्नापेक्षयाऽधिकप्रयत्नश्च तत्सहकारी, उपयोगातिशयश्च तदतिशयार्थमुपयुज्यत इति दिग् । ટીકાર્ય : અને આ રીતે ઉપરમાં કહ્યું કે અવગ્રહના પ્રવેશમાં દઢ યત્ન અને ઉપયોગથી નિર્જરા થાય છે એ રીતે, અવશ્ય કર્તવ્ય એવી પણ અહીંઅવગ્રહમાં પ્રવેશ કરીને કરાતી ક્રિયામાં, પાપનિષેધપણા વડે કરીને જ તેની કામના છે="લિસીહિ'ની કામના છે, અને આવશ્યકીના વિષયની અપેક્ષાએ તેના કાભ્યાર્થને *લિસીહિ' પ્રયોગના કાગાર્થને જ=પાપનિષેધ અને દઢ ઉપયોગરૂપ કામ્યાર્થડે જ, અત્યંત ઉપયોગમાં લાવનાર સાધુ ફળ=ૌધિકી સામાચારીના નિર્જરારૂપ ફળને, પ્રાપ્ત કરે છે. અને આ રીતે-પૂર્વમાં કહ્યું કે દઢ યત્ન અને ઉપયોગપૂર્વક દેવ-ગુરુના અવગ્રહના પ્રવેશમાં નિર્જરા થાય છે એ રીતે, આરઆગળમાં કહેવાશે એ, પર્યવસિત છે ફલિત છે – દેવાદિતા અવગ્રહના પ્રવેશમાં વૈધિકી પ્રયોગ વિચિત્ર કર્મક્ષયનો હેતુ છે અને સ્વપ્રાગુભાવિક ‘લિસીહિ' પ્રયોગની પૂર્વમાં થનારા, પ્રયત્નની અપેક્ષાએ અધિક પ્રયત્ન=આશાતનાદિ પરિહાર માટેનો અધિક યત્ન, તેનો-વિચિત્ર કર્મક્ષયનો, સહકારી છે; અને ‘નિસીહિ' કર્યા પછી અવગ્રહમાં પ્રવેશ કરીને દેવ કે ગુરુની ભક્તિવિષયક ઉપયોગીતિશય-અનાભોગ નિમિત્તક અયત્નના પરિવારના ઉપાયરૂપ ઉપયોગતિશય, તેના અતિશયને માટે તૈષધિથી સામાચારીથી થતા નિર્જરાવા અતિશય માટે, ઉપયોગી છે, એ પ્રમાણે દિશાસૂચન છે. * અવર જીર્તવ્યગરિ' અહીં ‘સર’ થી એ કહેવું છે કે, પાપનિષેધપણું હોવાથી તો નૈષધિકી કરાય, પરંતુ અવશ્ય કર્તવ્ય હોવા છતાં પણ આવશ્યકી ન કહેતાં પાપનિષેધપણું હોવાના કારણે ઔષધિકીની કામના છે. * ‘ફેવરિ’ માં ૩થી ગુરુનો અવગ્રહ ગ્રહણ કરવો. ભાવાર્થ - પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે અવગ્રહમાં પ્રવેશ કરીને ત્યાં અવશ્ય કર્તવ્ય એવી ક્રિયા હોવા છતાં પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy