SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ આવશ્યકી સામાચારી / ગાથા: ૩૮ ૨૧મી ગાથામાં કહે છે – “સર્વ આવશ્યકથી યુક્ત યોગવાળાનો ‘આવશ્યકી’ એ પ્રકારનો પ્રયોગ શુદ્ધ છે.” આનાથી એ ફલિત થાય કે, “આવશ્યકી' પ્રયોગ કર્યા પછી તેમાં અપેક્ષિત સર્વ અંગોથી યુક્ત એવા યોગવાળો ‘આવશ્યકી' પ્રયોગ કરીને તેનાં અંગોનું પાલન કરે છે, તેની જ આવશ્યકી શુદ્ધ છે, અને આવા યોગવાળાને “આવશ્યકી' પ્રયોગ કરવો ઉચિત છે, ઈતરને “આવશ્યકી' પ્રયોગ કરવો ઉચિત નથી, કેમ કે તેની પ્રવૃત્તિ આવશ્યકી નથી, પરંતુ કર્મબંધને અનુકૂળ એવી પ્રવૃત્તિ છે. અહીં ગાથાના અંતમાં કહ્યું કે, ઈતરને આવશ્યકી’ પ્રયોગ કરવો ઉચિત નથી; કેમ કે આવશ્યકી. પ્રવૃત્તિ નથી, તે કથન વ્યતિરેકથી કથનરૂપ છે. ટીકા - ___ अत्र हि स प्रयोगो निरर्थकमनर्थकारि च वाङ्मात्रमित्युक्तम्, ततश्चायं न द्रव्यावश्यकी, भावावश्यक्यां संभवन्त्यामेव तद्धेतुत्वेन तस्यास्तथात्वौचित्यात्, न चोक्तदोषबहुलस्य भावावश्यकीसंभवोऽपि, तस्या गुणविशेषव्यङ्ग्यत्वात् । अप्राधान्यार्थकं द्रव्यपदमाश्रित्य तु तत्र द्रव्यावश्यकीति व्यवहारोऽपि भवतीति વાધ્યમ્ તારૂઢ IT ટીકાર્થ: અહીં=પંચાશકમાં, તે પ્રયોગ=‘આવશ્યકી' પ્રયોગ, નિરર્થક, અનર્થકારી વાણીમાત્ર છે, એ પ્રમાણે કહેવાયું. તેનાથી પંચાશકતા તે કથનથી, આ દ્રવ્ય આવશ્યકી નથી (એ પ્રકારે સિદ્ધ થાય છે); કેમ કે ભાવ આવશ્યકીનો સંભવ હોતે છતે જ તેના હેતુપણાથી=ભાવ આવશ્યકીના હેતુપણાથી, તેનું= આવશ્યકી પ્રયોગનું, તથાત દ્રવ્ય આવશ્યકપણું, ઉચિત છે. અને ઉક્ત દોષબહુલને=આવશ્યકી પ્રયોગ કરનાર સાધુના આવશ્યક સામાચારીનાં સર્વ અંગોની વિકલતારૂપ ઉક્ત દોષબહુલવાળી વ્યક્તિને, ભાવઆવશ્યકીનો સંભવ પણ નથી; કેમ કે તેનું ભાવઆવશ્યકીનું, ગુણવિશેષથી વ્યંગ્યપણું છેઃ ગુણવિશેષવાળી એવી દ્રવ્ય આવશ્યકીથી ભાવ આવશ્યકી પ્રગટ થાય તેવી છે. અપ્રાધાન્ય અર્થક દ્રવ્યપદને આશ્રયીને વળી ત્યાં આવશ્યકી' એ પ્રકારના પ્રયોગમાત્રમાં, દ્રવ્યઆવશ્યકી છે, એ પ્રકારનો વ્યવહાર પણ થાય છે, એ પ્રમાણે જાણવું. ll૩૮ * “મોડાિમાં ‘પ' થી એ કહેવું છે કે, ઉક્ત દોષબહુલતાવાળાને ભાવ આવશ્યકી તો નથી જ, પણ ભાવઆવશ્યકીનો સંભવ પણ નથી. * વ્યવદાર ST' માં ' થી એ કહેવું છે કે, પ્રધાન અર્થને આશ્રયીને તો દ્રવ્ય આવશ્યકી એ પ્રકારનો વ્યવહાર થતો નથી, પરંતુ અપ્રધાનને આશ્રયીને દ્રવ્યઆવશ્યકી એ પ્રકારનો વ્યવહાર પણ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005547
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy