SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૧-૨ ઢાળા બારમી (રાગ : ચોપાઈની દેશી) પૂર્વ ઢાળ સાથે સંબંધ : પૂર્વની ઢાળમાં ધર્મને યોગ્ય જીવમાં વર્તતા ‘એકવીસ’ ગુણોનું સ્વરૂપ બતાવ્યું. હવે તેવા ગુણોવાળા પુરુષ ધર્મનું સેવન કરીને ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરે છે. તેથી હવે ભાવશ્રાવકનું સ્વરૂપ બતાવવા અર્થે કહે છે 11211 : એકવીસ ગુણ જેણે લહ્યા, જે નિજ મર્યાદામાં રહ્યા; તેહ ભાવશ્રાવકતા લહે, તસ લક્ષણ એ તૂં પ્રભુ ! કહે. ૧ ગાથાર્થ ઃ ૭૧ જેણે=જે પુરુષે, એકવીસ ગુણો પ્રાપ્ત કર્યાં અને તેના કારણે જેઓ નિજમર્યાદામાં રહ્યા=ધર્મને અનુકૂળ એવી ઉચિત આચરણાની મર્યાદામાં રહ્યા, તેવા જીવો ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરે છે. હે ભગવંત ! તેના લક્ષણ આપ આ પ્રમાણે કહો છો. IIII ભાવાર્થ : પૂર્વ ઢાળમાં બતાવ્યા તેવા ‘એકવીસ’ ગુણોનું સ્વરૂપ સાંભળીને તે ‘એકવીસ’ ગુણો કેળવવા માટે જે પુરુષ ઉદ્યમ કરે છે તેવા જીવો સ્વભૂમિકા અનુસાર તે ગુણોને પોતાનામાં પ્રગટ કરે છે અને તેના કારણે તે ગુણોની મર્યાદામાં રહેનારા બને છે. તેવા જીવો ઉપદેશાદિની સામગ્રીને પામીને શ્રાવકધર્મ સ્વીકારે તો તે શ્રાવકધર્મની આચરણા માત્ર બાહ્ય આચરણારૂપ બનતી નથી, પરંતુ તે આચરણાથી તે મહાત્મા ભાવશ્રાવક બને છે. તે ભાવશ્રાવક કેવા હોય તેનાં લક્ષણ ભગવાને કહ્યાં છે જે આગળની ગાથામાં ગ્રંથકારશ્રી બતાવે છે. IIII અવતરણિકા : Jain Education International પૂર્વ ગાથામાં કહ્યું કે ભાવશ્રાવકના આ લક્ષણો ભગવાને કહ્યા છે, તેથી હવે તે ભાવશ્રાવકના લક્ષણો બતાવે છે . For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy