SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ GO શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૧/ગાથા-૧૯ અવતરણિકા :હવે કૃતજાણ અને પરહિતકારી ગુણો બતાવે છે – ગાથા : ગુણ જોડે ગુરુ આદરે, તત્ત્વબુદ્ધિ કૃતજાણ; પરહિતકારી પર પ્રતે, થાપે માર્ગ સુજાણ. ૧૯ ગાથાર્થ : કૃતજાણ પોતાના ઉપર થયેલા ઉપકારને જાણનાર ગુરુને તત્વ બુદ્ધિથી આદરે અને ગુણને જોડે પોતાના આત્મામાં ગુણોને પ્રગટ કરે. માર્ગ સુજાણ એવો પરહિતકારી બીજાને માર્ગમાં સ્થાપન કરે. ll૧૯ll ભાવાર્થ : (૧૯) જે પુરુષમાં કરાયેલા ઉપકારને જાણવાનો ગુણ છે તે કૃતજાણ કહેવાય અને સંસારમાં જે ગુરુએ ભગવાનનો માર્ગ બતાવી પોતાને તત્ત્વની પ્રાપ્તિ કરાવી છે, તેવા ગુરુના કરાયેલા ઉપકારને જાણનાર પુરુષ તત્ત્વબુદ્ધિથી ગુરુને આદરે છે અને તે પ્રકારના અહોભાવથી તેમની પાસેથી માર્ગના વિશેષ પ્રકારનો બોધ કરીને પોતાના આત્માને ગુણમાં જોડે છે. (૨૦) પરહિતને કરવાના સ્વભાવવાળા જીવો ભગવાનના માર્ગના સુજાણ થાય પછી પરને માર્ગમાં સ્થાપન કરવા પ્રયત્ન કરે છે. વળી, જેઓ માર્ગના સુજાણ નથી તેવા અગીતાર્થ સાધુઓ કે અલબ્ધ અર્થવાળા એવા અજાણ શ્રાવકો પરના હિત માટે પ્રયત્ન કરે તોપણ પરનું હિત કરી શકતા નથી. તેથી તેઓની પરના હિતને અનુકૂળ પ્રવૃત્તિ અનુચિત પ્રવૃત્તિરૂપ છે, પરંતુ માર્ગના સુજાણ પરોપકારી સ્વભાવને કારણે પરનું હિત કરે તેઓ ધર્મ નિષ્પત્તિને અનુકૂળ એવા પરહિતકારી ગુણવાળા છે. ૧૯મી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy