________________
५०
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૧/ગાથા-૯-૧૦-૧૧
ભાવાર્થ:
(૬) જેઓની પ્રકૃતિ ભીરૂ હોય તેઓ ખોટા કાર્યો કરવાથી આલોકમાં અને પરલોકમાં અનર્થો થશે તેનાથી ડરનારા હોય છે. વળી, શિષ્ટ લોકોમાં ‘આ દુર્જન છે’ એ પ્રકારના અપયશથી ડરનારા હોય છે એવા ભીરૂ જીવો ધર્મના અધિકારી છે. lil
અવતરણિકા :
હવે અશઠ ગુણ બતાવે છે
51121 :
-
અશઠ ન વંચે પર પ્રતેં, લહે કીર્ત્તિ વિશ્વાસ; ભાવસાર ઉધમ કરે, ધર્મઠામ તે ખાસ. ૧૦
ગાથાર્થ ઃ
અશઠ પુરુષ પરને વંચે નહિ=ગે નહિ, તેથી વિશ્વાસની કીર્તિ પ્રાપ્ત કરે. વળી, તે=અશઠ પુરુષ, ધર્મના સ્થાનમાં ખાસ ભાવસાર ઉધમ કરે=પોતાના ચિત્તનું રંજન થાય તે રીતે ઉદ્યમ કરે. II૧૦]I
ભાવાર્થ:
(૭) જે પુરુષમાં અશઠ સ્વભાવ હોય તે પરને ઠગે નહિ અને તેના કારણે લોકોમાં વિશ્વાસનું સ્થાન બને. વળી, આવા જીવો ધર્મની પ્રવૃત્તિ કરે ત્યારે પણ અશઠ સ્વભાવને કારણે લોકોના ચિત્તને રંજન કરવા અર્થે ઉદ્યમ કરે નહિ પરંતુ પોતાના ચિત્તને રંજન કરવા અર્થે પ્રયત્ન કરે અર્થાત્ ધર્મની ક્રિયાથી પોતાનામાં ગુણો પ્રગટ થાય તે પ્રમાણે ભાવસાર ઉદ્યમ કરે, પરંતુ લોકો આગળ પોતે સારા દેખાય તેવી મનોવૃત્તિથી ધર્મમાં ઉદ્યમ કરે નહિ. ||૧૦|| અવતરણિકા :
હવે સુદાક્ષિણ્ય ગુણ બતાવે છે –
51121 :
નિજકાર્ય છાંડી કરી, કરે અન્ય ઉપકાર; સુદક્ખિન્ન જન સર્વને, ઉપાદેય વ્યવહાર. ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org