________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-૮-૯
૫૯
અવતરણિકા :
હવે જતપ્રિય અને અક્રૂર ગુણો બતાવે છે – ગાથા :
જનવિરુદ્ધ સેવે નહીં, જનપ્રિય ધર્મે સૂર;
મલિનભાવ મનથી ત્યજી, કરી શકે અક્રૂર. ૮ ગાથાર્થ :
જનપ્રિય પુરુષ લોકવિરુદ્ધ સેવે નહિ, ધર્મમાં શૂર હોય શૂરવીર હોય. વળી, અક્રૂર હોય અને મનથી મલિનભાવ ત્યજીને ધર્મ કરી શકે. llciા. ભાવાર્થ :
(૪) જે પુરુષ હંમેશા આલોક અને પરલોક વિરુદ્ધ કૃત્ય કરતા ન હોય તે સર્વત્ર ઉચિત વ્યવહાર કરનારા હોય છે. તેથી તેઓની તે પ્રવૃત્તિ જનવિરુદ્ધ હોતી નથી. વળી, આવા જીવો દાન, વિનય આદિ ઉચિત ધર્મ કરવામાં શૂરવીર હોય છે તેઓને જનપ્રિય કહેવાય છે.
(૫) વળી, અક્રૂર ગુણવાળા જીવો કોઈનું અહિત કરવાના મલિનભાવથી રહિત હોય છે. તેથી તેવા જીવો ધર્મનું સેવન કરી શકે છે. Iટા અવતરણિકા -
હવે ભીરૂ ગુણ બતાવે છે – ગાથા :
ઈહપરલોક અપાયથી, બીહે ભીરુ જેહ;
અપયશથી વલી ધર્મનો, અધિકારી છે તેહ. ૯ ગાથાર્થ :
આલોક અને પરલોકના અપાયથી અનર્થથી, જે ભય પામે તે ભીરૂ છે. વળી, અપયશથી=લોકમાં પોતાની દુર્જન તરીકેની કીર્તિથી, જે ડરે છે તે ધર્મનો અધિકારી છે. IIII
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org