SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૦/ગાથા-૧૫ અનુભવ કરે છે. તેથી તેવા મહાત્માઓ સ્વભૂમિકા અનુસાર અનુષ્ઠાન સેવીને ઉત્તર ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિ કરે છે. પરંતુ જે મહાત્માના ચિત્તમાં જે અનુષ્ઠાન સ્વીકારવા તે તત્પર થયા છે તેને અનુરૂપ કષાયોનો ઉપશમ થયેલો ન હોય તો, ચિત્તમાં શાંતવાહિતા નહિ હોવાથી, તે ક્રિયા દ્વારા તે મહાત્મા સંવેગની વૃદ્ધિ કરી શકતા નથી. તેથી તેઓ ક્રિયા કરે છે તોપણ ચિત્ત ઉત્થાનદોષવાળું છે અર્થાત્ તે ક્રિયાના ભાવોને સ્પર્શે તેવા પરિણામવાળું નથી; પરંતુ તે ક્રિયા માત્ર થાય તેવા ઉત્થાન પરિણામવાળું છે. આ રીતે ઉત્થાનદોષનું સ્વરૂપ બતાવ્યા પછી તે ઉત્થાનદોષથી થતી ધર્મની પ્રવૃત્તિ કેવી છે તે ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ કરે છે. કોઈ મહાત્માએ સંયમ ગ્રહણ કરેલું હોય અને ચિત્ત ઉત્થાન દોષવાળું હોય તો સંયમની ક્રિયામાંથી સંવેગના માધુર્યની પ્રાપ્તિ થતી નથી. આમ છતાં પોતે સાધુવેશ ગ્રહણ કર્યો છે તેથી ઘેર જતા લજ્જા આવે છે માટે તે સંયમની ક્રિયા તે મહાત્માથી અણછેડાતી છે, તોપણ તે ક્રિયા ઉત્થાન દોષને કારણે ત્યાગ યોગ્ય છે; કેમ કે સંયમવેશમાં રહીને ચિત્ત સંયમની પ્રવૃત્તિમાંથી ધર્મ નિષ્પન્ન ન કરી શકે તો વિધિપૂર્વક શ્રાવકધર્મ સ્વીકારીને શ્રાવકના ઉચિત આચારો દ્વારા ધર્મની નિષ્પત્તિ કરવી જોઈએ, તેથી તેવા જીવ માટે તે સંયમની ક્રિયા ત્યાગ યોગ્ય છે. અહીં ધ્યાન શબ્દ તે સેવાતા અનુષ્ઠાનની પ્રવૃત્તિનો વાચક છે. અહીં વિશેષ એ છે કે સંસારમાં પણ જે પ્રકારનું ચિત્ત હોય તેને અનુરૂપ ક્રિયાથી જીવો આનંદ લઈ શકે છે. જેમ કેટલાક જીવો બીજાને મારીને આનંદ લઈ શકે તેવા ચિત્તવાળા હોય છે તેવા જીવોને બીજાને મારવાથી આનંદ ઉત્પન્ન થાય છે અને જેઓનું તેવું ચિત્ત નથી તેઓ તે ક્રિયા કરીને આનંદ લઈ શકતા નથી. તેથી જે પ્રકારનો વિકાર હોય તેને અનુરૂપ ક્રિયા કરવાથી તે વિકાર પોષાય છે અને આનંદ આવે છે. તેમ ધર્મની પ્રવૃત્તિમાં જે પ્રકારનું શાંત ચિત્ત હોય તેને અનુરૂપ ઉચિત યિા કરવામાં આવે તો તે ઉચિત ક્રિયામાંથી વિશેષ પ્રકારનો સંવેગનો આનંદ પ્રાપ્ત થાય છે. પરંતુ જેઓનું ચિત્ત સંયમ આદિના અનુષ્ઠાનને અનુરૂપ પ્રશાંતવાહિતાવાળું નથી, તેઓ કોઈ નિમિત્તથી સંયમ ગ્રહણ કરે તોપણ તે સંયમની ક્રિયામાંથી સંવેગ ઉત્પન્ન કરી શકે તેવા શાંતરસને પામેલા નહિ હોવાથી, તે ક્રિયા દ્વારા સંવેગના માધુર્યને પ્રાપ્ત કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy