________________
૩૭
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૮
વળી, કેટલાક સાધુઓ પોતાની શક્તિનું સમાલોચન કર્યા વગર શીત તાપાદિને સહન કરે છે અને તેના દ્વારા અંતરંગ યત્નમાં ખલના પામેલા એવા તે સાધુઓ શાસ્ત્રવચનના બળથી આત્માને ભાવિત કરી શકતા નથી અને માત્ર બાહ્ય કષ્ટ વેઠીને સંતોષ માને છે પરંતુ યોગમાર્ગની પ્રવૃત્તિના વ્યાઘાતક એવા તે શીત તાપાદિ મહાત્માના કલ્યાણનું કારણ બનતા નથી. માટે જઘન્યવિનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને ઉચિત રીતે તેનો પરિહાર કરવાથી સાધુને મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણની પ્રાપ્તિ થાય છે.
વળી, જેમ શીત તાપાદિ બાહ્ય વિપ્ન છે માટે જઘન્ય વિઘ્ન છે તેમ શરીરની અંદરમાં વ્યાધિ ઉત્પન્ન થાય તે મધ્યમ વિપ્ન છે અને જે સાધુ મધ્યમ વિપ્ન ક્યારે વિઘ્નરૂપ છે અને ક્યારે નિર્જરામાં સહાયક છે તેનો યથાર્થ નિર્ણય કરીને તે વિઘ્નનો પરિહાર કરે તો મોક્ષમાર્ગમાં અંતરંગ રીતે અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે. આથી જ વિવેકી સાધુ શરીરમાં વ્યાધિ થાય અને તે વ્યાધિ તેમના અંતરંગ વીર્ય વ્યાપારને વિજ્ઞભૂત ન થાય તો સનતકુમાર ચક્રવર્તીની જેમ તે વ્યાધિને દૂર કરવાની શક્તિ હોવા છતાં દૂર કરતા નથી, પરંતુ વ્યાધિને સહન કરીને સંયમના કંડકોની વૃદ્ધિ કરે છે. વળી, જે સાધુઓ તેવા સામર્થ્યવાળા નથી તેઓ પ્રાપ્ત થયેલી અંતરંગ વ્યાધિથી સ્કૂલના પામેલા યોગમાર્ગમાં સુદઢ વ્યાપાર કરી શકતા નથી અને તેવા મહાત્માઓ ઔષધથી પણ વ્યાધિને દૂર કરવા યત્ન કરે છે અને નિકાચિત કર્મ હોય અને રોગ ન મટે તો આ વ્યાધિ મારા આત્માને બાધક નથી, દેહને બાધક છે ઇત્યાદિ ભાવનાઓ વડે વ્યાધિ પ્રત્યે ઉપેક્ષાવાળા થઈને અંતરંગ ઉદ્યમ કરવા પ્રયાસ કરે છે. વળી, જેઓને તેવો બોધ નથી તેઓ મધ્યમ વિપ્ન પ્રાપ્ત થાય ત્યારે યોગમાર્ગના પ્રમાણમાં થતા ભંગનું નિવારણ કરી શકતા નથી માટે સમ્યજ્ઞાનથી કરાયેલી ક્રિયા મોક્ષનું કારણ છે એમ પ્રથમ ગાથામાં કહેલ છે.
વળી, જેમ દેહમાં થયેલ અંતરંગ વ્યાધિ મધ્યમ વિપ્ન છે તેમ આત્માને સંયમની ક્રિયાઓ દ્વારા કઈ રીતે સમભાવની વૃદ્ધિ કરવી એ પ્રકારના અંતરંગ યત્નમાં મોહ ઉત્પન્ન થાય તે દિગ્યોહ તુલ્ય મિથ્યાદર્શનરૂપ ઉત્કૃષ્ટ વિઘ્ન છે અને આ વિપ્નની પ્રાપ્તિ થવાથી સાધુ સંયમની બાહ્ય ક્રિયાઓ સારી રીતે સેવતા હોય તોપણ અંતરંગ ઉચિત દિશામાં ગમનનો અભાવ થવાથી પ્રયાણભંગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org