________________
૩૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૦/ગાથા-૬-૭ જેમ ઢોરનો જ્યાં-ત્યાં મોટું નાખવાનો સ્વભાવ છે તેમ મહાકલ્યાણનું કારણ એવી પણ ક્રિયાને જ્યાં-ત્યાં મોટું નાખવાની પ્રવૃત્તિ દ્વારા, તેઓ તે ક્રિયાને પૂર્ણ શાસ્ત્રાનુસારી કરતા નથી, તેથી તે ક્રિયાના યથાર્થ ફળને પ્રાપ્ત કરી શકતા નથી. વસ્તુતઃ ક્રિયા વિષયક યથાર્થ બોધ કર્યા પછી જિનવચનાનુસાર પ્રવૃત્તિ કરવાના આશયરૂપ પ્રવૃત્તિ આશયથી કરાયેલી ક્રિયા યથાર્થ ફળનું કારણ છે. આમ છતાં હું મારી પ્રવૃત્તિ કઈ રીતે પૂર્ણપણે જિનવચનાનુસાર કરું તે પ્રકારના જ્ઞાન વગર કરાયેલી ક્રિયા નિષ્ફળ પ્રાયઃ છે તેથી ક્રિયા વિષયક જ્ઞાનમાં ઉદ્યમ કરવો જોઈએ. IIકા અવતરણિકા :
ગાથા-પમાં પ્રણિધાન વગરની ક્રિયા કર્મબંધનું કારણ છે તેમ બતાવ્યું અને ગાથા-૬માં પ્રવૃત્તિ આશય વગરના જીવો કઈ રીતે ધર્મ ક્રિયાઓને વિશિષ્ટ પ્રકારના ફળ વગરની બનાવે છે તે બતાવ્યું. હવે કેટલાક આરાધક જીવો પ્રવૃત્તિ આશયપૂર્વકની ક્રિયા કરીને આત્મહિત સાધતા હોય આમ છતાં ક્રિયામાં વિદ્ગો ઉપસ્થિત થાય અને તેને દૂર ન કરી શકે તો લક્ષ્ય તરફ અવિચ્છિન્ન પ્રયાણ કરી શકે નહિ તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
વિના વિઘનજય સાધુને રે, નવિ અવિચ્છિન્ન પ્રયાણ રે;
કિરિયાથી શિવપુરી હોયે રે, કિમ જાણે અજ્ઞાણ રે? પ્રભુ! ૭ ગાથાર્થ :
વિધ્વજય વિના સાધુને મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ નથી, ક્રિયાથી શિવપુરની પ્રાપ્તિ થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે, અજ્ઞાની તે કિમ જાણે અર્થાત્ અજ્ઞાની તે જાણી શકે નહિ. l૭ના ભાવાર્થ -
સાધુની સંયમની સર્વ ક્રિયાઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનરૂપ છે અને ‘ત્રણ' ગુપ્તિઓથી ગુપ્ત એવા સાધુ સંસાર ભાવોથી સંવૃત્ત થયેલા છે અને વીતરાગના વચનાનુસાર અસંગભાવમાં જવા માટે ઉદ્યમવાળા છે. તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org