________________
૨૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૦/ગાથા-૧-૨
કાળ દશમી જ > (રાગ : આપ છંદે છબિયા છલાવરે અથવા જીવ-જીવન પ્રભુ કિહાં ગયા રે
અથવા ધોબીડા! તું ધોએ મનનું ધોતીઉં-એ દેશી)
પૂર્વ ઢળ સાથે સંબંધ :
અત્યાર સુધીની ઢાળોમાં અત્ય-અન્યના વચનો બતાવીને તે વચન પ્રમાણભૂત નથી તેમ સ્થાપન કર્યું. હવે, ભગવાનના વચનાનુસાર યથાર્થ બોધ કરીને ક્રિયા કરવામાં આવે તો કલ્યાણની પ્રાપ્તિ થાય, પરંતુ યથાર્થ બોધ કર્યા વગર માત્ર ધર્મ અનુષ્ઠાન કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
જ્ઞાન વિના જે જીવને રે, કિરિયામાં છે દોષ રે; કર્મબન્ધ છે તેહથી રે, નહીં શમસુખ સન્તોષ રે. ૧ પ્રભુ! તુઝ વાણી મીઠડી રે, મુઝ મન સહેજ સુહાય રે; અમીયસમી મન ધારતાં રે, પાપતાપ સવિ જાય રે.
પ્રભુ! તુઝ વાણી મીઠડી રે-એ આંકણી. ૨ ગાથાર્થ :
જ્ઞાન વગર=ધર્મની ક્રિાઓ કઈ રીતે કરવાથી આત્મામાં ધર્મ નિષ્પન્ન થાય છે એ પ્રકારના શાસ્ત્ર વચનાનુસાર બોધ વગર, જીવને ક્રિયામાં જે દોષ છે તેથી તે દોષથી, કર્મબંધ છે પરંતુ શમસુખરૂપ સંતોષની પ્રાપ્તિ નથી. II.
હે પ્રભુ! તમારી વાણી મીઠી છે મારા મનમાં સહેજે સુહાય છે=ગમે છે, અમીયસમી=અમૃત જેવી, તમારી વાણી મનમાં ધારતા સવિ-સર્વ, પાપનો તાપ જાય છે પાપબંધના કારણભૂત સંક્લેશ દૂર થાય છે. રા. ભાવાર્થ :
જેમ સંસારની કોઈપણ ક્રિયા, તે ક્રિયામાં અપેક્ષિત યથાર્થ બોધથી થાય તો તે ક્રિયાના ફળની પ્રાપ્તિ થાય છે અને જો તે ક્રિયા યથાર્થ બોધ યુક્ત ન હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org