________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૯/ગાથા-૧-૨
કોઈક=સ્થાનકવાસી, સૂત્ર જ આદરે છે=આગમના મૂળસૂત્ર જ સ્વીકારે છે, અર્થને સાર માનતા નથી=સૂત્રના અર્થને કહેનાર નિર્યુક્તિ, ભાષ્યાદિને પ્રમાણ માનતા નથી. આપમતે=પોતાની મતિ પ્રમાણે, અવળું કરે-સૂત્રનો અર્થ વિપરીત કરે, તેહ ગમાર ભૂલ્યા=પોતાના હિતની પ્રવૃત્તિ કરવામાં ભૂલ્યા. હે ભગવંત ! તમારા વચનમાં મન રાખીએ જેથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય. ॥૧॥
૨
ગાથાર્થ
:
ભાવાર્થ :
સ્થાનકવાસીઓ જિનપ્રતિમાને પૂજ્ય સ્વીકારતાં નથી. વળી, તેઓ આગમને સ્વીકારે છે પરંતુ જિનપ્રતિમા પૂજનીય નથી તેવી વિપરીત મતિ સ્થિર થયેલી હોવાથી જેમાં જિનપ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થાય છે તેવા આગમના તાત્પર્યને કહેનારા નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા આદિ પ્રમાણ માનતા નથી. વળી, સૂત્રને પોતાના મત પ્રમાણે અવળું કરે છે=વિપરીત કરે છે. તે ગમાર શાસ્ત્રવચનના અવલંબનથી હિત કરવાનો માર્ગ ભૂલ્યા છે.
ગ્રંથકારશ્રી ભગવાનને વિનંતી કરે છે કે હે ભગવંત ! તમારા વચનમાં મન રાખીએ તો હિત થાય. IIII
અવતરણિકા :
માત્ર સૂત્રને સ્વીકારનાર અને અર્થને નહિ માનનાર સ્થાનકવાસી કેવા છે તે સ્પષ્ટ કરે છે
1121 :
પ્રતિમા લોપે પાપીઆ, યોગ અને ઉપધાન; જિનજી ! ગુરુનો વાસ ન શિર ધરે, માયાવી અજ્ઞાન. જિનજી ! ૨ ગાથાર્થ ઃ
પાપીઆ એવા તેઓ પ્રતિમાનો લોપ કરે છે=જિનપ્રતિમા પૂજ્ય નથી તેમ કહે છે વળી, યોગ અને ઉપધાનનો લોપ કરે છે=સાધુને આગમ સૂત્ર ભણવા અર્થે યોગોદ્વહન કરવાના છે તેનો લોપ કરે છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org