SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧૩ અવતરણિકા - પોતાનામાં સંયમસ્થાન ન હોય છતાં પોતે સાધુ છે તેમ બોલવું સાધુને માટે ઉચિત નથી તેમ પૂર્વ ગાથામાં કહ્યું, હવે તેવું બોલવું કેમ ઉચિત નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : નવિ માયા ધર્મે નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ; ધર્મવચન આગમમાં કહિયે, કપટ રહિત મનવૃત્તિ. ધન. ૧૩ ગાથાર્થ - નવિ માયા ધર્મો ધર્મમાં માયા ન હોય પોતાનામાં સંયમસ્થાન છે તેનો નિર્ણય કરવામાં આત્મવંચના ન હોય, પરજનની અનુવૃત્તિ નહિ કહેવું પરજનની અનુવૃત્તિથી લોકો આગળ અમે સાધુ નથી તેમ કહીશું તો ખરાબ દેખાશે એ પ્રકારની લોકોની અનુવૃત્તિથી, કહેવું નહિ કહેવું ઉચિત નથી અર્થાત્ અમે સાધુ છીએ એ પ્રમાણે કહેવું ઉચિત નથી, કપટ રહિત મનોવૃત્તિ પરંતુ કપટ રહિત મનની વૃત્તિવાળું આત્મવંચના વગર યથાર્થ બોલવાની મનોવૃત્તિવાળું ધર્મવચન છે એમ આગમમાં કહેલું છે. I૧all ભાવાર્થ : જેને ભાવથી ધર્મ પરિણમન પામ્યો છે તે મહાત્મા શક્તિ અનુસાર ભગવાનના વચનના રહસ્યને જાણવા ઉદ્યમ કરે અને ભગવાનના વચનાનુસાર પોતાનામાં ગુણસ્થાનકની પરિણતિ ન હોય છતાં આત્માને ઠગે તેવા માયાના પરિણામથી પોતાનામાં ગુણસ્થાનક છે તેમ માને નહિ. વળી, પોતાની પ્રજ્ઞાથી પોતાનામાં ગુણસ્થાનક નથી તેવું જણાવા છતાં અમે સાધુ નથી તેમ લોકો આગળ કહીશું તો ખરાબ દેખાશે એ પ્રકારની લોકોની અનુવૃત્તિથી પોતે સાધુ છે તેમ કહેવું ઉચિત નથી. પરંતુ કપટ રહિત મનોવૃત્તિ ધારણ કરીને પોતાના આત્માની સાક્ષીએ સંયમ ગુણસ્થાનક હોય તો જ પોતાને સંયમી માનવું જોઈએ અને પોતે સંયમી છે તેમ કહેવું જોઈએ. પણ જો પોતાનામાં સંયમનું ગુણસ્થાનક ન હોય તો કપટ રહિત મનોવૃત્તિથી પોતે સંયમી નથી તેમ સ્વીકારીને યથાર્થ ભાષણ કરવું એ ધર્મ વચન છે એમ આગમમાં કહ્યું છે. II૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy