________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/સંપાદિકાનું કથન
@ સંપાદિકાનું કથન છૂટ પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ગુજરાતી ભાષામાં ખૂબ સરળ શૈલીમાં સ્તવનોની રચના કરીને આપણા ઉપર ખૂબ ઉપકાર કર્યો છે. શ્રી સીમંધરસ્વામીના ૩૫૦ ગાથાના સ્તવનમાં પૂ. ઉપા. મહારાજશ્રી સીમંધરસ્વામીને વિનંતી કરે છે કે “હે ભગવાન ! કૃપા કરીને મને શુદ્ધમાર્ગ બતાવો. ઢાળ ૧થી ૯નું વિવેચન ભાગ૧માં કરવામાં આવ્યું. હવે ઢાળ ૯થી ૧૭નું વિવેચન પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવેલ છે. ગ્રંથકારશ્રીએ ભાવશ્રાવકનું, ભાવસાધુનું, દ્રવ્ય-ગુણ-પર્યાયનું, સુંદર વર્ણન આ ઢાળોમાં કરેલ છે. ભાવસાધુનું વર્ણન કરતા ગ્રંથકારશ્રી કહે છે કે –
“ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવું, ભવ સાયર લીલાએ ઊતરે, સંયમ કિરિયાનાર્વે.”
પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ જેઓ આગમ વાંચી શકવાના નથી તેવા આપણને સૌને જીવનમાં પ્રાપ્ત થયા ન હોય તેવા યોગનાં પદાર્થો તરફ પ્રસ્તુત ગ્રંથમાં અંગુલીનિર્દેશ કરીને આપણા ઉપર ખૂબ ખૂબ ઉપકાર કરેલ છે. તેઓશ્રીએ સંસારના સુખો ભગવાનના વચનના સુખ આગળ એક બિંદુ તુલ્ય છે અને ભગવાનના વચનરૂપ શાસ્ત્રોને ભણીને સંસારથી તરવાનો પરમ શ્રેયમાર્ગ પ્રાપ્ત થાય તેનું સુંદર વિવેચન ઢાળ-૧૭માં કરેલ છે.
આ ગ્રંથના લખાણના કાર્યમાં છેક સાબરમતીથી વહેલી સવારે ૫-૩૦ વાગે ભાઈશ્રી જિજ્ઞેશભાઈ હુકમીચંદજી ભંડારીએ આવીને સ્વકલ્યાણના ખ્યાલથી નોંધ તૈયાર કરેલ. તેનો સર્વને લાભ મળે તે હેતુથી ગીતાર્થ ગંગા ટ્રસ્ટ તેને પ્રકાશિત
આ ગ્રંથમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપવા બદલ વિદૂષી સાધ્વીજી પૂ. શ્રી ચારૂનંદિતાશ્રીજી મહારાજ સાહેબનો અને પ્રફરીડીંગના કાર્યમાં પૂ. શ્રી ધ્યાનરૂચિતાશ્રીજી મહારાજ સાહેબનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી.
ગ્રંથકારશ્રીના આશયથી અને જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તે બદલ ‘મિચ્છામિ મિ દુક્કમ્.”
આ સ્તવનને સંપૂર્ણ કંઠસ્થ કરીને તેનો અલ્પ પણ સ્વાદ ચાખીને મોક્ષમાર્ગની ગતિનો વેગ વધારીએ એ જ અભ્યર્થના. વ.સં. ૨૦૬પ, અષાઢ સુદ-૧૩
- સ્મિતા ડી. કોઠારી તા. ૫-૭-૦૯, રવિવાર ૧૨, બેન્ક ઓફ ઈન્ડિયા સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org