________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-૯-૧૦
૧૦૫
અને જે મહાત્માને વીતરાગે કહેલ પારમાર્થિક ધર્મ નિષ્પન્ન કરવાની બળવાન ઇચ્છા હોય તે સાધુ આત્મામાં ધર્મની નિષ્પત્તિના ઉપાયભૂત સંયમની ક્રિયાઓ વિધિપૂર્વક સેવે છે.
વળી, ધર્મના અર્થ સાધુને પોતાની શક્તિ અનુસાર ધર્મને સેવ્યા પછી પણ તૃપ્તિ હોતી નથી, પરંતુ જેમ જેમ શક્તિ વધે તેમ તેમ વિશેષ વિશેષ પ્રકારના ધર્મ સેવન માટેની અતૃપ્તિ હોય છે. જેમ સંસારી જીવોને ધન પ્રાપ્તિમાં બળવાન રુચિ હોવાથી ધન પ્રાપ્તિના ઉપાયમાં સદા ઉદ્યમ કરે છે તેમ ભાવસાધુ ક્ષણભર પણ પ્રમાદ વગર પ્રતિદિન નવું નવું શાસ્ત્ર અધ્યયન કરે છે, શાસ્ત્રના સૂક્ષ્મ ભાવોના ૫૨માર્થને જાણવા યત્ન કરે છે, જાણીને તે ભાવોને જીવનમાં પ્રકૃતિરૂપે કરવા માટે દૃઢ ઉદ્યમ કરે છે અને સ્વાધ્યાયાદિથી શ્રાંત થયેલા હોય તો ગુણવાનની વૈયાવચ્ચ કરીને પણ સંયમની વૃદ્ધિમાં ઉદ્યમ કરે છે પરંતુ ઉચિત સ્વાધ્યાયાદિ પોતે કર્યા છે એમ તૃપ્તિ ધારણ કરીને ધર્મની વૃદ્ધિના ઉપાયભૂત અન્ય વૈયાવચ્ચાદિ કૃત્ય પ્રત્યે ઉપેક્ષા કરતા નથી.
વળી, શાસ્ત્ર ભણીને ગીતાર્થ થયા પછી યોગ્ય જીવોમાં ધર્મનિષ્પત્તિને અર્થે શુભદેશના આપે છે; કેમ કે ગીતાર્થ સાધુમાં વર્તતી ધર્મની તીવ્ર રુચિ યોગ્ય જીવોમાં ધર્મની નિષ્પત્તિ દ્વારા ધર્મ વૃદ્ધિ માટે ઉદ્યમ કરાવે છે.
વળી, સાધુને ધર્મમાં તીવ્ર રુચિ હોવાથી જ વિધિમાં કોઈ સ્ખલના થઈ હોય તો તેની ઉપેક્ષા કરતા નથી. પરંતુ તે સ્ખલનાની અવશ્ય શુદ્ધિ કરે છે. ધર્મની તીવ્ર શ્રદ્ધાના આ ચાર કાર્યો છે એમ સુબુદ્ધિ પુરુષ જાણે છે. IIII
અવતરણિકા :
ભાવસાધુની ધર્મમાં પ્રકૃષ્ટશ્રદ્ધાના કાર્યરૂપ વિધિસેવા નામનાં પ્રથમ ભેદનું સ્વરૂપ બતાવે છે –
ગાથા :
દૃઢરાગ છે શુભભોજ્યમાં, જિમ સેવતાંયે વિરુદ્ધ; આપદામાંહે રસ જાણને, તિમ મુનિને હો ચરણે તે શુદ્ધ.
સા. ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org