________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-૮-૯
ગાથાર્થ ઃ
શ્રાવકનું મમત્વ, વળી, સુખશીલ સાધુઓથી જે અશુદ્ધ ઉપકરણ, અશુદ્ધ વસતિ, અશુદ્ધ આહાર આચરાય છે, તે ચિત્તમાં લગાર ધરવા જેવા નથી અર્થાત્ પ્રમાણભૂત સ્વીકારવા જેવા નથી. IIII
ભાવાર્થ :
જે સાધુઓ પોતાના ભક્ત એવા શ્રાવક પ્રત્યે મમત્વ ધારણ કરે છે તે માર્ગરૂપે સંમત નથી. વળી, જે સાધુઓ સુખશીલ સ્વભાવને કારણે અશુદ્ધ ઉપકરણ ગ્રહણ કરે છે, અશુદ્ધ વસતિમાં રહે છે, અશુદ્ધ આહારાદિ ગ્રહણ કરે છે તે સર્વ પૂર્વના મહાત્માઓએ કોઈક કારણે અપવાદથી કર્યું છે માટે માર્ગ છે તેમ સ્વીકારીને સંવિજ્ઞબુધજનની નીતિરૂપ બીજા પ્રકારના માર્ગમાં અંતર્ભાવ પામે છે એ પ્રકારે લેશ પણ ચિત્તમાં ધારણ કરવું જોઈએ નહિ; કેમ કે અશુદ્ધ વસતિ આદિ ક્યારેક કોઈક સાધુએ અપવાદથી કે પ્રમાદથી સેવેલ હોય એટલા માત્રથી માર્ગ બને નહીં. જ્યારે આ બીજા પ્રકા૨નો માર્ગ વર્તમાનના સંયોગોમાં સર્વ સાધુજનોને સંયમવૃદ્ધિમાં ઉપકારક છે. III
૧૦૪
અવતરણિકા :
હવે ભાવસાધુનું બીજુ લક્ષણ પ્રકૃષ્ટશ્રદ્ધાનું સ્વરૂપ ગાથા-૧૩ સુધી બતાવે છે -
51121 :
વિધિસેવના-અવિતૃપ્તિ-શુભ, દેશના-ખલિતવિશુદ્ધિ;
શ્રદ્ધા ધર્મ ઈચ્છા ઘણી, ચઉભેદે હો ઈમ જાણે સુબુદ્ધિ. સા. ૯ ગાથાર્થ ઃ
ધર્મમાં ઈચ્છારૂપ ઘણી શ્રદ્ધા છે અને તે (૧) વિધિની સેવના, (૨) અવિતૃપ્તિ, (૩) શુભદેશના, (૪) સ્ખલનાની વિશુદ્ધિ એ ચાર ભેદે છે એમ સુબુદ્ધિ જાણે. IIII
ભાવાર્થ:
ભાવસાધુને પોતાના આત્મામાં ધર્મ નિષ્પન્ન કરવાની તીવ્ર રુચિ હોય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org