SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૪/ગાથા-૬-૭ ભાવાર્થ : ૧. કલ્પનું ધરવું - પૂર્વના કાલમાં સાધુઓ ભિક્ષાએ જતી વખતે ઉપરનું વસ્ત્ર સ્કંધ ઉપર વીંટાળેલું જ રાખતા હતા એ પ્રકારની આગમમાં વિધિ છે, પરંતુ વર્તમાનકાળમાં ભિક્ષા જતી વખતે સાધુ તે વસ્ત્રને ઓઢીને જાય છે તે માર્ગ બહુગુણના જાણ એવા સંવિશે સ્વીકાર્યો છે. ૨. ઝોલિકા :- પૂર્વમાં પાત્રબંધરૂપ વસ્ત્રના બે છેડાને મૂઠ્ઠીથી ધારણ કરીને હાથની કોણીએ બાંધવામાં આવતા હતા. હવે ઝોળીમાં ગાંઠદ્વયથી નિયંત્રિત પાત્રબંધરૂપ ઝોળીથી સાધુ ભિક્ષા ગ્રહણ કરે છે. આ જાતનો ફેરફાર સંવિજ્ઞ વિબુધ પુરુષોએ કરેલો છે. ૩. ભાજને દવરકદાન :- પૂર્વના કાલમાં સાધુના પાત્રા વગેરેમાં દોરી બાંધવાની વિધિ ન હતી. હમણાં સંવિજ્ઞ બુધ પુરુષોએ તે વિધિ સ્વીકારેલ છે. ૪. પર્યુષણની તિથિ પાલટી :- પૂર્વમાં ભાદરવા સુદ પાંચમે સંવત્સરીની આરાધના થતી હતી, વર્તમાનમાં સંવિજ્ઞ વિબુધોએ તે ભાદરવા સુદ ચોથના કરી. ૫. ભોજનવિધિ :- પૂર્વની ભોજનવિધિથી વર્તમાનમાં જે ફેરફાર છે તે સાધુજનમાં પ્રસિદ્ધ છે તે પણ સંવિજ્ઞ વિબુધ પુરુષોએ આચર્યું છે. IIકા અવતરણિકા : સૂત્રમાં કહેલી વિધિ કરતા જુદા પ્રકારની સંવિજ્ઞબુધજનની આચરણાને પ્રમાણ સ્વીકારવાથી પ્રથમ વિધિને બતાવનાર આગમને અપ્રમાણ સ્વીકારવાની આપત્તિ આવે. તેના નિવારણ માટે કહે છે – ગાથા : વ્યવહાર પાંચે ભાખિયા, અનુક્રમે જેહ પ્રધાન; આજ તો તેહમાં જીત છે, તે ત્યજિમેં હો કિમ વિગર નિદાન? સા. ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy