________________
..
અવતરણિકા :
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૩/ગાથા-૫-૬
ભાવશ્રાવક સંસારના સ્વરૂપનું ચિંતવન કરીને સંસાર પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે -
ગાથા:
ભવ વિડંબનામય અછે, વલી દુઃખરૂપી દુઃખ હેતો રે; ચેતો રે, ઈમ ચોથો ગુણ અંગીકરે એ. ૫
ગાથાર્થ ઃ
ભવ=સંસાર, વિડંબનામય છે. વળી, દુઃખરૂપ અને દુઃખનો હેતુ છે માટે ભવથી ચેતો એ પ્રકારનો ચોથો ગુણ શ્રાવક અંગીકાર કરે. IIII ભાવાર્થ :
શ્રાવક મોક્ષનો અર્થી છે. અને મોક્ષનો ઉપાય સર્વવિરતિ છે. પરંતુ સર્વવિરતિની શક્તિ પોતાનામાં પ્રગટ થઈ નથી, તેથી શ્રાવક ગૃહસ્થ જીવન જીવે છે તોપણ સર્વવિરતિની શક્તિના સંચય અર્થે ભવસ્વરૂપનું ચિંતવન કરે છે અને વિચારે છે કે દેહની સાથે સંયોગરૂપ એવો ભવ જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ અનેક પ્રકારની વિડંબનાવાળો છે, માટે દુઃખરૂપ છે. વળી, સંસારમાં ભોગાદિની પ્રવૃત્તિઓથી કર્મબંધ થાય છે જેથી જન્માંતરમાં નરકાદિ દુઃખોની પ્રાપ્તિ થાય છે તેથી દુ:ખનો હેતુ છે માટે આ ભવથી ચેતતા રહેવું જોઈએ, અહીં નિશ્ચિત થઈને જીવવા જેવું નથી, એ પ્રકા૨નો ચોથો ગુણ શ્રાવક અંગીકાર કરે છે. IIII અવતરણિકા :
ભાવશ્રાવક વિષયોના સ્વરૂપનું ચિંતવન કરીને વિષયો પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે
511211 :
Jain Education International
ખીણસુખ વિષય વિષોપમા, ઈમ જાણી નવી બહુ ઈહે રે; બીહે રે, તેહથી પંચમગુણ વર્ષો એ. ૬
―
For Personal & Private Use Only
www.jainelibrary.org