SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૩/ગાથા-૩-૪ ભાવાર્થ - વળી, શ્રાવક ઇન્દ્રિય ઉપર સંયમ રાખવા માટે ભાવના કરે છે કે ચપલ એવો ઘોડો કૂદાકૂદ કરે છે તેને દોરડાથી બંધનમાં બાંધીને રાખવાથી તેનાથી અનર્થો થતા નથી, અન્યથા તે ચપલ ઘોડો મહાવિનાશનું કારણ બને છે. તેમ ઇન્દ્રિયો અતિચપલ છે તેથી વિષયોને જોવા માટે અને તેનાથી ભાવો કરવા માટે સદા ઉત્સુક છે. તેને યથાર્થ જ્ઞાનરૂપી દોરડાના બંધનથી રૂંધવામાં ન આવે તો વિનાશનું કારણ બને છે. આ રીતે વિચારીને પાંચેય ઇન્દ્રિયોથી થતા અનર્થોનું સ્વરૂપ વારંવાર ચિંતન કરીને શ્રાવક ઇન્દ્રિયોને સંયમમાં રાખવા યત્ન કરે છે. આ પ્રકારનો બીજો ગુણ શ્રાવક ધારણ કરે છે. 13 અવતરણિકા : ભાવશ્રાવક ધન-સંપત્તિના સ્વરૂપનું ચિંતવન કરીને તેના પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : ક્લેશતણું કારણ ઘણું, જે અર્થ અસાર જ જાણે રે; આણે રે, તે ત્રીજો ગુણ સંનિધિ એ. ૪ ગાથાર્થ : ઘણાં ક્લેશનું કારણ જે અર્થ છે તે અસાર જ જાણે અને તેને ભાવશ્રાવક, ત્રીજો ગુણ સંનિધિમાં આણે રે પોતાના સાન્નિધ્યમાં લાવે. II૪ll ભાવાર્થ - ધનની પ્રાપ્તિ માટે શ્રમ કરવો પડે છે તેમાં અનેક પ્રકારના ક્લેશો થાય છે, ધન પ્રાપ્ત થયા પછી ધનના રક્ષણ માટે ઘણા ક્લેશો થાય છે અને અકસ્માતે તે ધન નાશ પામે તોપણ ક્લેશ થાય છે. તેથી ધન ક્લેશનું કારણ છે એ પ્રમાણે જાણનાર શ્રાવક વારંવાર ચિંતન દ્વારા અર્થની અસારતાનું ભાવન કરે છે અને આ રીતે ભાવન કરવાના કારણે ધન પ્રત્યેની મૂછ ક્ષીણ-ક્ષીણત્તર થાય છે અને સર્વવિરતિની શક્તિનો સંચય થાય છે. જો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy