SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ O આલોયણાવિંશિકા અવતરણિકા: પૂર્વની ગાથામાં બતાવ્યું કે જેમ સુવૈદ્યને જદોષકથન કરવું ઉચિત છે તેમ સુગુરુની પાસે જ આલોચના કરવી ઉચિત છે. તેથી હવે સુવૈદ્ય કોણ છે અને સુગુરુ કોણ છે તે બતાવે છે - तत्थ सुविजो य इमो आरोग्गं जो विहाणओ कुणइ । वरणारुग्गकरो खलु एवित्थ गुरू वि विनेओ ॥५॥ तत्र सुवैद्यश्चायमारोग्यं यो विधानतः करोति । चरणारोग्यकरः खल्वेवमत्र गुरुरपि विज्ञेयः ॥५।। અqયાર્થ: તત્વ ય અને ત્યાં શારીરિક રોગમાં સુવિનો રૂમો સુવૈદ્ય આ છે તો વિરામો જે વિધાનથી=વિધિપૂર્વકની ચિકિત્સાથી મારા કુળ આરોગ્યને કરે છે. વિત્ય વિ એ રીતે અહીં=ભાવરોગના વિષયમાં પણ પરિવારો ચરણઆરોગ્યકર=ચારિત્રરૂપી આરોગ્યને કરનાર જમુક ગુરુ વિષે જાણવા. માં “પર્વ શબ્દ “gવમ'ના અર્થમાં વપરાયો છે અને “Y'નો લોપ થયો છે. ગાથાર્થ: શારીરિક રોગમાં સુવૈદ્ય એ છે જે વિધિપૂર્વકની ચિકિત્સાથી આરોગ્યને કરે છે, એ રીતે ભાવરોગના વિષયમાં પણ ચારિત્રરૂપી આરોગ્યને કરનાર જ ગુરુ જાણવા. ભાવાર્થ: શારીરિક રોગ માટે સુવૈદ્ય તે જ કહેવાય કે, તેણે બતાવેલા ઔષધનું વિધિપૂર્વક સેવન કરવામાં આવે તો અવશ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય. પરંતુ જે વૈદ્યના કથન પ્રમાણે ઉચિત ઔષધ સેવન કર્યા પછી પણ રોગ મટે પણ ખરો અને ન પણ મટે, અથવા તો થોડા સમય માટે રોગની શાંતિ થતી હોય પરંતુ રોગની મૂળશુદ્ધિ ન થતી હોય, તો તે વૈદ્ય સુવૈદ્ય નથી કહેવાતો. તે જ રીતે ભાવરોગના નિવારણના વિષયમાં પણ ગુરુ તે જ છે કે જેમના વચન દ્વારા પ્રાયશ્ચિત્તરૂપ ઔષધનું સેવન કરાતું હોય, અને રોગની વૃદ્ધિને કરનારા આલંબનોના ત્યાગરૂપ પથ્યનું સેવન થતું હોય અને સાથે સાથે ભાવરોગના પ્રતિપક્ષનું ભાવન કરવાનો ઉચિત માર્ગ પ્રાપ્ત થતો હોય, જેના લીધે ભાવરોગની હાનિ થવાથી ચારિત્રરૂપ આરોગ્યની પ્રાપ્તિ થાય. ll૧૫-પી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy