SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ८१ O આલોયણાવિંશિકાd અqયાર્થ: જેમ વિનમિત્ત વૈદ્યમાત્રને તો દોષકથન ન જેવા સુંવાં રોડ સુંદર નથી જ થતું, વિય પરંતુ સુવિઝ સુવૈદ્યને (દોષકથન સુંદર થાય છે). તદ તે પ્રકારે માવડો વિ ભાવદોષમાં પણ વિયં જાણવું. જ દ્રવ્યદોષમાં તે જાણવું પણ ભાવદોષમાં પણ જાણવું. એ વાત ગથિી જણાય છે. ગાથાર્થઃ દ્રવ્યદોષમાં જેમ વૈદ્યમાત્રને દોષનું કથન સુંદર નથી થતું, પરંતુ સુવૈદ્યને જ દોષનું કથન સુંદર થાય છે, તે પ્રકારે ભાવદોષમાં પણ જાણવું. ભાવાર્થ: વૈદ્ય સામાન્ય હોય તો તેમની પાસે પોતાના ગુપ્ત દોષોનું કથન કરીએ તો તેનો યથાસ્થાન વિનિયોગ તે વૈદ્ય કરી શકે નહીં. ઊલટાનું અજ્ઞાનના કારણે ક્યારેક વિપરીત ઔષધ આપીને અનર્થનું કારણ પણ બને. જ્યારે વૈદકશાસ્ત્રના પરમાર્થને જાણનારા સુવૈદ્ય હોય તો તેઓ ગુમ દોષોને સાંભળી, નાડી પરીક્ષા કરીને, દોષોના સૂક્ષ્મચિહ્નનું અવલોકન કરીને તે રીતે ઉચિત ઔષધ આપે, કે જેથી રોગિષ્ટના રોગો મૂળથી નાશ પામે. સામાન્ય વૈદ્ય તો પ્રાથમિક રોગોમાં બાહ્ય ઉપચારો કરવામાં ઉપયોગી હોય છે, પરંતુ ગુપ્તરોગોને જાણીને વિશેષ બોધ નહિ હોવાને કારણે ઔષધમાં ભ્રમિત થઇને કવચિત્ અનર્થનું કારણ પાગ બને. આવી જ રીતે આલોચના માટે યોગ્ય, ગંભીર, અપ્રતિશ્રાવી આદિ ગુણોથી યુક્ત ગુરુ ન હોય અને ભાવદોષોનું કથન કરવામાં આવે, તો આલોચના કરનારના વિષયમાં વિપરીત બુદ્ધિ કરીને તેના અહિતનું કારણ પણ બને. આથી વિચારશીલ વ્યક્તિએ આલોચનાને યોગ્ય એવા ઉચિત ગુરુની ગવેષણા કરીને તેમની પાસે જ ભાવદોષનું સમ્યક પ્રકાશન કરવું જોઇએ. અહીં વિશેષ એ છે કે જેમ સુવૈદ્યને ગુપ્ત રોગો કહેવામાં ન આવે તો તે ઉચિત ઔષધ ન આપી શકે, અને તેથી જ રોગોની મૂળશુદ્ધિ થઈ શકે નહિ, તેમ સુગુરુને પણ પોતાના સેવાયેલા દોષો સમ્યક કહેવામાં ન આવે તો, તે જીવની પ્રકૃતિ જાણી શકે નહિ અને તેના રોગને ઉચિત ઔષધસ્થાનીય પ્રાયશ્ચિત્તનો પણ નિર્ણય કરી શકે નહીં અને તેથી જ ભાવદોષોની મૂળશુદ્ધિ થઈ શકે નહીં. ૧૫-૪TI Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy