SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ 7 ભિક્ષાઅંત૨ાયશુદ્ધિલિંગવિંશિકા નિમિત્તની અશુદ્ધિ હોતે છતે ચૈત્યવંદન કરીને વળી પાછો ઉપયોગનો કાઉસ્સગ્ગ કરવો જોઇએ, અને નિમિત્તશુદ્ધિ પ્રાપ્ત થયે છતે ભિક્ષા માટે ગમન કરવું જોઇએ; અને વારંવાર નિમિત્તની અશુદ્ધિ જ પ્રાપ્ત થાય તો તે દિવસે ભિક્ષા માટે ન જવું જોઇએ. ૭૫ ગાથાર્થ: ભાવાર્થ: -- ઉપયોગનો કાઉસ્સગ્ગ કરતી વખતે જો નિમિત્તશુદ્ધિ ન દેખાતી હોય તો સાધુ ભિક્ષા માટે ન જતાં ત્યારે ચૈત્યવંદનની ક્રિયા કરે. કારણ કે ચૈત્યવંદન કર્યા પછી ચૈત્યવંદનકૃત શુભ અધ્યવસાયથી ફરી ઉપયોગના કાઉસ્સગ્ગ માટે પ્રયત્ન કરવામાં આવે તો નિમિત્તશુદ્ધિ પ્રાપ્ત થઇ શકે. આ રીતે ફરી ઉપયોગની ક્રિયા કરતાં નિમિત્તશુદ્ધિની પ્રાપ્તિ થાય તો સાધુ ભિક્ષા માટે જાય. આ રીતે ભગવાનના વચનાનુસાર સમ્યગ્ ભિક્ષાની ક્રિયા કરીને સાધુ ઘણી નિર્જરા કરી શકે છે. ક્યારેક વારંવાર ચૈત્યવંદન કર્યા પછી પણ જો શુદ્ધ નિમિત્ત ન મળે, તો તે દિવસે સાધુ ભિક્ષા માટે ન જાય. બે ત્રણ વખત ચૈત્યવંદન કર્યા પછી પણ જો નિમિત્તશુદ્ધિ ન જ દેખાય, તો તે અશુદ્ધિ એવું સૂચવે છે કે ભિક્ષાની પ્રવૃત્તિથી પોતાને કંઇક નુકસાન થવાનો સંભવ છે, તેથી તે ભિક્ષા માટે ન જાય. જો શક્તિ હોય તો જે દિવસે નિમિત્ત શુદ્ધ ન દેખાય તે દિવસે સાધુ ઉપવાસ કરે અને શક્તિ ન હોય તો અન્ય સાધુ તેને ભિક્ષા લઇ આપે. આવો ઉચિત વ્યવહાર છે. I|૧૪-૫] सुद्धे वि अंतराया एए परिसेहगा इहं हुंति । आहारस्स इमे खलु धम्मस्स उ साहगा जोगा ||६|| शुद्धेऽप्यन्तराया एते प्रतिषेधका इह भवन्ति 1 आहारस्येमे खलु धर्मस्य तु साधका योगाः || ६ || અન્વયાર્થ: યુદ્ધે વિ (નિમિત્તોની) શુદ્ધિ હોતે છતે પણ " અંતરાયા આ=વક્ષ્યમાણ અંતરાયો હૈં આમાં=ભિક્ષામાં આહારલ્સ સેદા ğતિ આહારના પ્રતિષેધકો થાય છે. હતુ ૩ ખરેખર વળી મે આ=વક્ષ્યમાણ નોTM યોગો ધમ્મસ સાદા ધર્મના સાધક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy