SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ 0 ભિક્ષાઅંતરાયશુદ્ધિલિંગવિંશિકા] શિષ્ય :-માવસરી ગલ્સ નો | શિષ્ય કહે કે “હે ભગવંત! ભિક્ષાએ જવા માટે આજ્ઞા આપો.” ત્યાર પછી ગુરુ કહે “તમને લાભ થાઓ.” ‘લાભ” શબ્દ બોલવા દ્વારા ગુરુ એવા આશિષ આપે છે કે તમને ભગવાનના વચનાનુસાર ભિક્ષાનો લાભ થાઓ, એટલે કે નિર્દોષ ભિક્ષા મળો. કેમ કે ભગવાનના વચનાનુસાર ભિક્ષા મળે તો જ તે ભિક્ષા સંયમની વૃદ્ધિનું કારણ બને છે. તમને લાભ થાઓ આ પ્રકારનું ગુરુનું વચન ભિક્ષા માટે જવાના કાળે ઉચિત વચનરૂપ છે કેમ કે શિષ્યને સંયમની વૃદ્ધિને અનુકૂળ ભિક્ષા મળે એવો આશીર્વાદ આપવો એ ઉચિત વચન છે, અને સંયમને અનુરૂપ વચન છે; તેથી અપાયરૂપ નથી. એટલે કે કર્મબંધના કારણરૂપ નથી. તેથી ગુરુએ લાભ” કહેવું જોઇએ. કારણ કે ગુરુના આ શબ્દથી શિષ્યમાં સંયમ માટે વિશેષ યત્ન ઉસ્થિત થાય છે, અને શિષ્યને ભિક્ષાપ્રાપ્તિને અનુકૂળ એવો લાભાંતરાયકર્મનો ક્ષયોપશમ થાય છે. આ ઉપરાંત ભિક્ષા આપનાર અને લેનાર બન્ને માટે એકાન્ત લાભકર્તા છે અને ગુરુ હંમેશાં આવા ઉપકારની આકાંક્ષા રાખતા હોય છે. માટે પણ તેઓ ‘લાભ” કહે. (‘લાભ” બોલતી વખતે ગુરુ નિમિત્ત, શુકન આદિનો વિચાર કરે, અને તેના ઉપરથી નકકી કરે કે અત્યારે શિષ્યને શુદ્ધ ભિક્ષા મળશે કે નહીં. તદનુસાર ઉપયુક્ત થઈને ગુરુ ‘લાભ” કહે.) ગુરુના મુખે ‘લાભ શબ્દથી આશીર્વચન સાંભળીને શિષ્ય ગુરુને પૂછે કે, “અમે કેવી રીતે ભિક્ષા ગ્રહણ કરીએ?” ત્યારે ગુરુ જવાબ આપે કે “તે પ્રકારે અર્થાત્ જે પ્રકારે પૂર્વના સાધુઓ લાવતા હતા તે પ્રકારે તમે પણ લાવો.” આ શબ્દ દ્વારા ગુરુ સાધુને ખપે નહીં તેવી કે સંયમને બાધા પહોંચે તેવી ભિક્ષા લાવવાનો નિષેધ કરે છે. આથી શિષ્ય પણ શાસ્ત્રની મર્યાદાથી જ ભિક્ષા લાવી શકે તેવું સૂચન આ કથનથી થાય છે. ત્યાર પછી શિષ્ય જેનો યોગ થશે તે લાવીશ” એમ કહીને “આવશ્યકી’ સામાચારીના પ્રયોગપૂર્વક ભિક્ષા લાવવાના યોગનું સેવન કરવા વસતિમાંથી નીકળે છે. ll૧૪-૧ી. અવતરણિકા: પહેલી ગાથામાં કહ્યું કે ભિક્ષા માટે જતાં યતિઓ ગુરુના ઉપયોગને કરે છે. તેથી ઉપયોગનું લક્ષણ અને ભિક્ષા માટે સાધુ કેમ જાય છે તે બતાવતાં કહે છે - सामीवेणं जोगो एसो सुत्ताइजोगओ होइ । कालाविक्खाइ तहा जणदेहाणुग्गहट्ठाए ।।२।। सामीप्येन योग एष सूत्रादियोगतो भवति । कालापेक्षया तथा जनदेहानुग्रहार्थम् ॥२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy