SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ ભિક્ષાવિંશિકાd જ આહાર મળે તો ગ્રહણ કરવો અન્ય એષણાથી નહીં. તે જ રીતે પાણીની સાત એષણામાંથી કોઈ એક એષણાથી પાણી મળે તો ગ્રહણ કરવું અન્યથી નહીં. આ રીતે અભિગ્રહ કરવાથી સત્ત્વનો પ્રકર્ષ થાય છે. કેમ કે સામાન્ય રીતે તે સાતે પ્રકારની એષણામાંથી જે કોઇ એષણાથી આહાર મળે તે રીતે ગ્રહણ કરનારને પણ ૪૨ દોષથી રહિત ગોચરી લેવાની હોય છે, જે અતિ દુષ્કર છે. તે ૪૨ દોષરહિત ગોચરી મળતી હોય તેમાં પણ કોઈ એક એષણાથી આહાર મળે તો ગ્રહણ કરવો એ પ્રકારના અભિગ્રહથી આહારની પ્રાપ્તિ અતિ દુર્લભ બને છે. આમ છતાં, આહાર ન મળે તો પણ અદીનભાવથી સંયમમાં યત્ન કરનાર જિનકલ્પી હોય છે, જેથી નિર્લેપભાવનો પ્રકર્ષ થાય છે. આવી જ રીતે વસ્ત્રના વિષયમાં પણ અભિગ્રહપૂર્વક જિનકલ્પીઓ ગ્રહણ કરે છે. આ ઉપરાંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને ઘણા પ્રકારના અભિગ્રહપૂર્વકની એષણા કરનારા જિનકલ્પી હોય છે. જેમ મહાવીર ભગવાને અભિગ્રહ કર્યો તે ચંદનબાળાથી પૂર્ણ થયો. ૧3-૧3Dા અવતરણિકા: પૂર્વ ગાથામાં કહ્યું હતું કે આહાર અને પાણી વિષયક સાત પ્રકારની એષાગા હોય છે. તે સાત ભેદો બતાવે છે - संसट्ठमसंसट्ठा उद्धड तह होइ अप्पलेवा य । ओग्गहियापग्गहिया उज्झियधम्मा य सत्तमिया ॥१४॥ संसृष्टासंसृष्टोद्धता तथा भवत्यप्रलेपा च । उद्गृहीतापगृहीता उज्झितधर्मा च सप्तमिका ॥१४॥ અqયાર્થ: સંસમાં સંકા, અસંસૃષ્ટા, ૩૯ ત૬ તથા ઉદ્ઘતા, મHજોવા ય અને “ અલ્પલેપા, મોદિયાપાદિયા અવગૃહીતા, પ્રગૃહીતાન્સિયમાં અને ઉક્ઝિતધર્મા સમિયા દો એ સાત એષાગા હોય છે. ગાથાર્થ: સંસૃષ્ટા, અસંસૃષ્ટા, ઉતા, અલ્પલેપા, અવગૃહીતા, પ્રગૃહીતા અને ઉઝિતધર્મા એ સાત એષણા હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy