SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ Uભિક્ષાવિશિકાd. ભાવાર્થ: જે સાધુ દસ પ્રકારના યતિધર્મને વહન કરે છે અને ત્યાર પછી ગુણવાનને પરતંત્ર થઈને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા ગ્રહણ કરે છે, તે સાધુ ક્રમસર ભાવરોગને ક્ષીણક્ષીણતર કરે છે. તેથી એવા “સાધુ ને ‘મહાનુભાવ” શબ્દથી સંબોધેલ છે. આ મહાનુભાવો નિરાશં ચિત્તવાળા હોય છે. તેથી તેઓ કેવા પ્રકારની ભિક્ષા ગ્રહણ કરે છે તે બતાવતાં કહે છે કે તેઓ બેતાલીશ દોષથી પરિશુદ્ધ પિંડ ગ્રહણ કરે છે. આ જ તેમની ભિક્ષાવિધિ છે. તે બેતાલીશ દોષો કયા છે તે બતાવવા અર્થે કહે છે કે તે દોષો આ છે, અર્થાત્ આગળની ગાથામાં કહેવાના છે, તે છે. II૧3-૧ણા અવતણિકા: પ્રથમની ગાથાના અંતે કહ્યું હતું કે તે બેતાલીશ દોષો આ છે. તેથી તે બેતાલીશ દોષો બતાવે છે - सोलस उग्गमदोसा सोलस उप्पायणाइ दोसा उ । दस एसणाइ दोसा बायालीसं इय हवंति ॥२॥ षोडशोद्गमदोषाः षोडशोत्पादनाया दोषास्तु । दशैषणाया दोषा द्वाचत्वारिंशदिति भवन्ति ॥२॥ અqયાર્થ: તોના ૩મતોલા સોળ ઉમદોષો છે સોતસ ૩ખ્યાફિ વોરા ૩ વળી સોળ ઉત્પાદનના દોષો છે (અને) તલ સારૂ તોલા દશ એષણાના દોષો છે. હ્ય આ પ્રમાણે (ગોચરીના) વાયાતીરં વંતિ બેતાલીસ (દોષો) થાય છે. ગાથાર્થ: સોળ ઉદ્ગમદોષો છે, વળી સોળ ઉત્પાદનના દોષો છે અને દશ એષણાના દોષો છે. આ પ્રમાણે ગોચરીના બેતાલીસ દોષો થાય છે. ભાવાર્થ:(૧) ઉશમ દોષો - આહારની નિષ્પત્તિમાં ગૃહસ્થ દ્વારા કરાયેલા દોષો તે ઉદ્ગમદોષો છે. તે સોળ છે. (૨) ઉત્પાદન દોષો :- આહાર મેળવવા અર્થે સાધુથી જે દોષો ઉત્પન્ન કરાય છે તે ઉત્પાદન દોષો છે. તે દોષો પણ સોળ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy