SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ | _શિક્ષાવિંશિકા) ગોચરીવિષયક હોય છે, તો કેટલાંક પડિલેહણ વિષયક હોય છે, તો કેટલાંક સાધ્વાચારની તે તે કિયા વિષયક હોય છે, તો કેટલાંક સૂત્રો વળી સ્વાધ્યાયાદિ કરી તેનાથી આત્માને ભાવિત કરવા માટે હોય છે. તે દરેક સૂત્રો અને તેના અર્થોને તે તે રીતે અવધારણ કરીને આત્માને ભાવિત કરવો જોઈએ કે જેથી ક્રિયાને સેવવા યોગ્ય સૂત્ર, ક્રિયા દ્વારા સમ્યમ્ ભાવની નિષ્પત્તિમાં કારણ બને; અને સ્વાધ્યાયાદિનાં સૂત્રો વૈરાગ્યના પ્રકર્ષ દ્વારા નિર્લેપભાવની વૃદ્ધિનું કારણ બને. અહીંવરિપેદા કહ્યું છે, તેનાથી એ કહેવું છે કે જો જીવ અત્યંત સાવધાનીપૂર્વક પોતાની પરિણતિનું અવલોકન ન કરે તો આવનકાળમાં આત્મવંચના થવાનો પૂરો સંભવ રહે છે. જેમ નિર્દોષ ભિક્ષાનો અર્થી મુનિ શાસ્ત્રવચનોનું સ્મરણ કરીને ભિક્ષાના દોષોની ગવેષણા કરતો હોય, અને દાતાને ઉચિત પ્રશ્નો કરવા દ્વારા ભિક્ષાની શુદ્ધિને જાણવાનો યત્ન કરતો હોય ત્યારે, અતિ સાવધાનતા ન રાખે તો તેના પ્રત્યુત્તરમાં પોતાને ભિક્ષાની નિર્દોષતાનો ભ્રમ થઈ શકે છે, પરંતુ જો પોતે સૂક્ષ્મ ઉપયોગ મૂકે તો દાતાના સકંપ વચનથી નિર્ણય કરી શકે કે પ્રસ્તુત ભિક્ષા દોષવાળી છે. પરંતુ જેમ નિર્દોષ લેવાની વૃત્તિ હોય છે તેમ જીવમાં સ્વાભાવિક રીતે જ અલ્પશ્રમથી મેળવવાની વૃત્તિ પણ હોય છે. તેથી મનને આ નિર્દોષ છે તેમ સમજાવી લે છે અને આવાં સ્થાનોમાં સૂક્ષ્મ માયા થવાનો સંભવ રહે છે. તેવી જ રીતે દરેક ક્રિયાઓમાં સન્ અવલોકન ન કરવામાં આવે તો જીવસ્વભાવે જ આત્મવંચના થતી હોય છે. તેના નિવારણ અર્થે જ ઉપધિના=માયાના, પ્રેક્ષણપૂર્વક વર્તવું જોઇએ અર્થાત્ માયાના પરિહારપૂર્વક આસેવનશિક્ષામાં યત્ન કરવો જોઇએ એમ કહેવું છે. ૧૨-૧૧ અવતણિકા: ગાથા-૧૧માં આસેવનશિક્ષા કેવી રીતે કરવી જોઇએ તેનું સ્વરૂપ બતાવ્યું. હવે આસેવનશિક્ષામાં દૃઢ યત્ન કરવો જોઇએ તે બતાવવા માટે આસેવનશિક્ષા વગરની માત્ર ગ્રહાગશિક્ષા ઉપકારક નથી તે બતાવે છે – पडिवत्तिविरहियाणं न हु सुयमित्तमुवयारगं होइ । नो आउरस्स रोगो नासइ तह ओसहसुईओ ॥१२॥ प्रतिपत्तिविरहितानां न खलु श्रुतमात्रमुपकारकं भवति । नो आतुरस्य रोगो नश्यति तथौषधश्रुतेः ॥१२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy