SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ કેવલજ્ઞાનવિંશિકાD. અનંત અલોક આકાશમાં ધર્માદિનો વિરહ હોવાથી જીવ કેવી રીતે ત્યાં જાય? અર્થાત્ ન જાય. (આથી જીવને સર્વગત ન માની શકાય.) ભાવાર્થ: જીવ સર્વગત નથી, પરંતુ શરીરવ્યાપી છે, અને સિદ્ધ અવસ્થામાં પણ છેલ્લા શરીરના ૨/૩ ભાગ આકાશમાં વ્યાપીને રહે છે, પરંતુ સર્વ આકાશપ્રદેશોમાં જીવ નથી. તે કારણથી જીવનો ધર્મ કેવી (ક) રીતે જીવપ્રદેશને છોડીને બહાર જાય? અર્થાત્ ન જાય. તેથી કેવળજ્ઞાનરૂપી જીવનો ધર્મ સ્વરૂપનિયત છે. અહીં શંકા થાય કે જીવને સર્વગત સ્વીકારીએ તો શું વાંધો? તેથી કહે છે - અનંત અલોકાકાશમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો વિરહ છે, તેથી જીવ અલોકમાં જઈ શકે નહિ. માટે જીવને સર્વવ્યાપી માની શકાય નહિ. તેથી જીવના ધર્મરૂપ કેવળજ્ઞાન, કેવલીના આત્માને છોડીને બહાર જતું નથી. માટે જ ચંદ્રપ્રભાદિ દષ્ટાંત તે દષ્ટાંતમાત્ર છે. ૧૮-૧૮II. અવતણિકા: ગાથા - ૧૩ થી માંડીને કેવળજ્ઞાન, કેવળજ્ઞાનીના સ્વરૂપમાં નિયત છે તે વાત અનેક રીતે સ્થાપના કરી. હવે તેનું નિગમન કરે છે. तम्हा सरूवनिययस्स चेव जीवस्स केवलं धम्मो । आगारो वि य एयस्स साहु तग्गहणपरिणामो ॥१९॥ तस्मात्स्वरूपनियतस्यैव जीवस्य केवलं धर्मः । आकारोऽपि चैतस्य साधु तद्ग्रहणपरिणामः ।।१९।। અqયાર્થ: તડ્ડી તે કારણથી=ગાથા - ૧૩ થી ગાથા - ૧૮ સુધી બતાવ્યું કે કેવળજ્ઞાન સ્વરૂપનિયત છે તે કારણથી, કેવળજ્ઞાન સહનિયસ વેવ સ્વરૂપમાં નિયત જ એવા નીવસ વતં મો જીવનો ધર્મ છે. ય અને યસ આનો=કેવળજ્ઞાનનો મIિRો વિ આકાર પાગ તળિપણામો તથ્રહાણ પરિણામ= શેયના ગ્રહણ પરિણામરૂપ સાદુ ઉચિત છે. ગાથાર્થ: ગાથા - ૧૩ થી ગાથા - ૧૮ સુધી બતાવ્યું કે કેવળજ્ઞાન સ્વરૂપનિયત છે, તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy