SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ १७७ કેવલજ્ઞાનવિંશિકા સૂર્ય-ચંદ્ર આદિના પ્રકાશ કરતાં કેવળજ્ઞાનનો પ્રકાશ વિશેષ છે તે બતાવવા માટે કહે છે - चंदाइच्चगहाणं पहा पयासेइ परिमियं खित्तं । केवलियनाणलंभो लोयालोयं पयासेइ ॥१४॥ चन्द्रादित्यग्रहाणां प्रभा प्रकाशयति परिमितं क्षेत्रम् । कै वलिकज्ञानलाभो लोकालोकं प्रकाशयति ॥ १४ ॥ અન્વયાર્થ: ચંદ્રાખ્વાહાળ પન્ના ચંદ્ર, સૂર્ય અને ગ્રહની પ્રભા પરિમિય વિત્ત પયાસેફ પરિમિત ક્ષેત્રને પ્રકાશે છે. (અને) વત્તિયનાળાંમો જોયાનોય યસેઽ કેવળીના જ્ઞાનનો લાભ લોકાલોકને પ્રકાશે છે. ગાથાર્થ: ચંદ્ર, સૂર્ય અને ગ્રહની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશે છે, જ્યારે કેવળીના જ્ઞાનનો લાભ લોકાલોકને પ્રકાશે છે. ભાવાર્થ: ચંદ્ર, સૂર્ય અને ગ્રહ પોતપોતાની શક્તિ પ્રમાણે પરિમિત ક્ષેત્રનું પ્રકાશન કરે છે, પરંતુ પરિપૂર્ણ લોકાલોકનું પ્રકાશન કરતા નથી. જ્યારે કેવલી સંબંધી જ્ઞાનની પ્રાપ્તિ લોક અને અલોકનું પ્રકાશન કરે છે, અર્થાત્ પૂર્ણ જગતનું પ્રકાશન કરે છે. આ રીતે ચંદ્રાદિના દૃષ્ટાંતથી કેવળજ્ઞાનની પ્રકાશન શક્તિ ઘણી અધિક છે તે વાત પ્રસ્તુત ગાથામાં બતાવેલ છે. ||૧૮-૧૪]] અવતરણકા: પૂર્વની ગાથામાં કહ્યું કે કેવળજ્ઞાન સંપૂર્ણ લોકાલોકને પ્રકાશે છે, તે સાંભળી પ્રશ્ન થાય કે જો કેવળજ્ઞાન લોકાલોકને પ્રકાશતું હોય તો તે સ્વરૂપનિયત કઇ રીતે રહી શકે? તેથી ગ્રંથકાર ગાથા - ૧૫માં આવી શંકા કરીને, ગાથા - ૧૬માં તેનું નિરાકરણ કરે છે - तह सव्वगयाभासं भणियं सिद्धंतमम्मनाणीहिं । एयसरूवनियत्तं एवमिणं जुज्जए कह णु ? ॥१५॥ तथा सर्वगताभासं भणितं सिद्धान्तमर्मज्ञानिभिः । एतत्स्वरूपनियतमेवमिदं युज्यते कथं नु ? ॥१५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy