SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ 1 કેવલજ્ઞાનવિંશિકાત ૧૭૬ થાય છે તેમ માની શકાય નહીં. પરંતુ પૂર્વપક્ષી પોતાની વાતને કોઇક રીતે પણ સ્થાપિત કરવા કહે છે કે, જે પદાર્થોમાંથી છાયાણુઓ નીકળે છે તે માત્રનું વદન જે પ્રકારે દર્પણમાં સંક્રાન્ત થયેલા પદાર્થોનું જ્ઞાન થાય છે તે પ્રકારે સિદ્ધમાં સંક્રાન્તિથી પુગલના છાયાગુઓનું વેદન થાય છે એમ માનીએ, અને બાકીના પદાર્થોનું એટલે કે આણુ આદિ જે પદાર્થોમાંથી છાયાગુઓ નીકળતા નથી તેવા પદાર્થોનું ગ્રહણ અનુમાનથી થાય છે તેમ માનીએ, તેને ગ્રંથકાર કહે છે કે તેમ ન કહેવું. નવમી ગાથાથી આ ગાથાના પૂર્વાર્ધના કથનથી નકકી થાય છે કે, કેવલીને શેય પદાર્થનું જ્ઞાન દર્પગમાં જેમ છાયા સંક્રાન્ત થાય છે તેમ નથી થતું. તે કારણથી સ્વરૂપનિયત એવા કેવલીના કેવળજ્ઞાનનો આકાર શેયના ગ્રહણપરિણામરૂપ જ છે. ભાવાર્થ: દર્પગના દષ્ટાંતથી જેને કેવળજ્ઞાનમાં શેયનું જ્ઞાન થાય છે તેવો બોધ થયો હોય તેવો વાદી કહે છે કે, આણુ આદિ સર્વ પદાર્થોમાંથી છાયાણુઓ નીકળતા નથી તેમ તમે પૂર્વમાં સ્થાપન કર્યું, તો જે કંધોના છાયાણુઓ નીકળે છે તેટલા સ્કંધમાત્રનું વેદના દર્પણમાં સંક્રાન્ત થયેલ છાયાની જેમ સિદ્ધના કેવળજ્ઞાનમાં થાય છે, અને જે આણુ આદિમાંથી છાયાણુઓ નીકળતા નથી તે સર્વેનું જ્ઞાન કેવળજ્ઞાની અનુમાનથી કરે છે. તેને ગ્રંથકાર કહે છે કે આવું માનવું પણ ઉચિત નથી, કેમ કે આવું માનવાથી કેવળીનું બધું જ્ઞાન પ્રત્યક્ષ છે તે પ્રકારના શાસ્ત્રવચનનો વિરોધ થાય. ગાથાના ઉત્તરાર્ધમાં ગાથા - ૯થી માંડીને આ ગાથાના પૂર્વાર્ધ સુધીના કથનનું નિગમન કરતાં કહે છે કે, તે કારણથી અર્થાત્ પૂર્વમાં સિદ્ધ કર્યું કે દર્પણની જેમ કેવળજ્ઞાનમાં શેય પદાર્થોનું સંક્રમણ થાય છે તે માનવું ઉચિત નથી તે કારણથી, પોતાના સ્વરૂપમાં નિયત એવા સિદ્ધ ભગવંતોના આ કેવળજ્ઞાનનો આકાર શેયના ગ્રહોગપરિણામરૂપ છે, અર્થાત્ સિદ્ધના જ્ઞાનનો એવો જ સ્વભાવ છે કે શેય પદાર્થો જે સ્વરૂપે હોય તે સ્વરૂપે જ બોધ થાય છે. અહીં વિશેષ એ છે કે સિદ્ધના આત્માઓ પોતાના સ્વરૂપમાં નિયત છે, તેથી છાયાણુઓ તેમાં શંકાન્ત છે તેમ માની શકાય નહિ. કેમ કે છાયાગુઓ તેમના આત્મપ્રદેશમાં સંક્રમણ પામે છે તેમ માનીએ તો તેઓ પોતાના સ્વરૂપમાં નિયત નથી, પરંતુ છાયાગુના સંક્રમણથી સંસારી જીવો જેવા મિશ્ર પરિણામવાળા છે તેમ માનવું પડે. ll૧૮-૧3lI અવતરણિકા: તેરમી ગાથાના ઉત્તરાર્ધમાં સિદમાં કેવળજ્ઞાન કેવું છે, તેનું સ્વરૂપ બતાવ્યું. હવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy