SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭3 1 કેવલજ્ઞાનવિંશિકાત દેહના વાર્ગવાળી પડે છે. જેમ કે દર્પણની સન્મુખ રહેલા મનુષ્યની છાયાદર્પણમાં મનુષ્યના દેહના વાર્ણવાળી દેખાય છે. આ રીતે ભાસ્વર એવા જે દર્પગાદિમાં દેહની છાયા પડે છે તે દર્પગાદિમાં દેહમાંથી નીકળતાં પુદ્ગલ સંક્રાન્ત થાય છે અને દર્પગમાં સંક્રાન્ત થયેલાં દેહનાં પુદ્ગલો પ્રકાશના યોગથી પ્રતિબિંબ તરીકે દેખાય છે. વળી જે દેહના અવયવો દર્પણની સન્મુખ નથી હોતા તેનાં પુદગલો દર્પણમાં સંક્રાન્ત થતાં નથી. તેથી દર્પણમાં પ્રતિબિંબ તરીકે તેની ઉપલબ્ધિ નથી થતી. દસમી ગાથામાં કહ્યું તેમ છાયાના પ્રવેશથી ખરેખર દર્પણમાં પ્રકાશના યોગથી છાયાની ઉપલબ્ધિ થાય છે તે ઘટે છે. એટલે કે દેહના અવયવો છાયારૂપે દર્પણમાં સંક્રાન્ત થાય છે તેથી પ્રકાશના લીધે તે દેહના અવયવોની દર્પણમાં ઉપલબ્ધિ થાય છે તે ઘટે છે. જો દર્પણની જેમ સિદ્ધના જીવોનો પણ પુદ્ગલાત્મક દેહ હોત, તો તે દેહરૂપી દ્રવ્યમાં, દર્પણમાં જેમ જગતના પદાર્થોની છાયાની અને પ્રકાશની સંક્રાન્તિ થાય છે તેમ તેમાં પણ કદાચ માની શકાત. પરંતુ સિદ્ધના જીવો દેહ વગરના હોય છે. તેથી અરૂપી એવા સિદ્ધના આત્મપ્રદેશોમાં જગતના પદાર્થોની છાયા કે પ્રકાશનાં પુગલોની સંક્રાન્તિ થઇ શકે નહીં. આ કારણે જ સિદ્ધના આત્માઓમાં આ વાત ઘટે નહીં, એટલે કે દર્પણમાં જેમ વિષયનું પ્રતિબિંબ થાય છે અને પ્રકાશના યોગથી તે પ્રતિબિંબ દેખાય છે, તે જ રીતે સિદ્ધના આત્મામાં શેય એવા વિષયોનું પ્રતિબિંબ થાય છે અને સિદ્ધના આત્મામાં પ્રતિબિંબિત થયેલા શેય વિષયોની સિદ્ધના આત્માઓને ઉપલબ્ધિ થાય છે, તે વાત ઘટે નહીં. /૧૮૯/૧૦/૧૧ અવતરણિકા:- ૧૨ પૂર્વની ગાથામાં બતાવ્યું કે દર્પણની જેમ સિદ્ધના આત્મામાં પદાર્થોનું સંક્રમણ થવાને કારણે બોધ થાય છે તેમ કહી શકાય નહિ, તે જ વાતને દઢ કરતાં કહે છે - छायाहिं न जोगोऽसंगत्ताओ उ हंदि सिद्धस्स । छायाणवोऽवि सव्वे वि णाऽणुमाईण विजंति ॥१२॥ छायाणुभिर्न योगोऽसंङ्गत्वात्तु हन्त सिद्धस्य । छायाणवोऽपि सर्वेऽपि नाण्वादीनां विद्यन्ते ॥१२।। અqયાર્થ: ઇંદ્દેિ ખરેખર સિદ્ધ મiામો સિદ્ધનું અસંગપાયું હોવાને કારાગે ૩ જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy