SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ 1 કેવલજ્ઞાનવિંશિકા] ગાથાર્થ: સાકાર-અનાકાર એવું સર્વ જ્ઞેય ઉભયથા જ્ઞાનનો વિષય છે. અહીં શંકા થાય કે આણુ અને આકાશ નિત્ય છે. તેથી તે પરિવર્તનશીલ સંભવી શકે નહિ અને તેથી આગુ અને આકાશમાં સાકાર અને નિરાકાર ભાવ કઈ રીતે સંભવે? તેનું સમાધાન કરવા માટે માથાના ઉત્તરાર્ધથી કહે છે કે આગ આદિ પાગ નિયમથી સામાન્ય-વિશેષરૂપ જ છે. જે કારણથી સાકારઅનાકાર એવું સર્વ જ્ઞેય જ્ઞાનનો વિષય છે, તે કારણથી શેયનો ગ્રાહકભાવ હોવાને કારણે જ કેવળજ્ઞાન પણ સાકાર-અનાકાર રૂપ જ જાગવું. અહીં પ્રશ્ન થાય કે કેવળજ્ઞાનનો આકાર કેવો છે? તેથી ગાથાના ઉત્તરાર્ધથી બતાવતાં કહે છે કે કેવળજ્ઞાનનો આકાર પણ ફક્ત શેયના ગ્રહાણ પરિણામરૂપ છે. ભાવાર્થ: જગતનાં સર્વ દ્રવ્યો સાકાર અને અનાકારરૂપ છે. તેથી કેવળજ્ઞાન પણ સાકાર અને અનાકારરૂપ છે. કેમ કે કેવળજ્ઞાન તે સર્વ જ્ઞેય પદાર્થોના ગ્રાહકસ્વભાવવાળું છે. જ્યારે શેય સાકાર અને અનાકાર રૂપ હોય ત્યારે કેવળજ્ઞાન પણ સાકાર અને અનાકાર રૂપ હોય છે. અહીં સર્વ શેયને સાકાર અનાકારરૂપ કહ્યું ત્યાં કોઈને શંકા થાય કે આગુ અને આકાશ નિત્ય છે તેથી તે સામાન્યરૂપ માની શકાય, પણ વિશેષરૂપ માની શકાય નહિ. આ પ્રકારની તૈયાયિકની માન્યતાને સામે રાખીને કહે છે કે, આણુ આદિ પણ નિયમથી સામાન્ય વિશેષરૂપ છે. તેથી તમામ ય પદાર્થો સાકાર-અનાકારરૂપ છે. આથી જ કેવળજ્ઞાન પણ સાકાર-અનાકારરૂપ છે. તેથી તેમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન એવો ભેદ નથી, પરંતુ તે અનાકાર એવા સામાન્યને પાગ ગ્રહણ કરે છે તે અપેક્ષાએ કેવળજ્ઞાનને કેવળદર્શનરૂપે કહેવાય છે, અને સાકાર એવા વિશેષને પણ ગ્રહણ કરે છે તે અપેક્ષાએ તે કેવળજ્ઞાનરૂપે કહેવાય છે. કર્મગ્રંથના મત પ્રમાણે કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ કમસર થાય છે, પાગ તે વાત પ્રસ્તુત ગ્રંથકારને માન્ય નથી, પરંતુ તેમના મતે તો પ્રતિક્ષણ કેવળજ્ઞાનનો જ ઉપયોગ છે. કેવળજ્ઞાનની અંદર દ્રવ્ય અને પર્યાય એક સાથે જ પ્રતિભાશમાન થાય છે, માટે જ કેવળજ્ઞાન અને કેવળદર્શન એક જ છે. અહીં પ્રશ્ન થાય કે કેવળજ્ઞાનનો આકાર કેવો છે? તેથી કહે છે કે કેવળજ્ઞાનનો આકાર ફક્ત શેયના ગ્રહાગના પરિણામરૂપ છે. આશય એ છે કે જગતવર્તી ત્રણેય કાળના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy