SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 7 યોગવિંશિકા ત દુઃખફળવાળો જ છે. (અહીં કોઇ એમ કહે કે ગુરુ તો વિધિની જ પ્રરૂપણા કરે છે. માત્ર અવિધિનો નિષેધ કરવામાં તેમને માર્ગનો લોપ દેખાય છે, તેથી અવિધિનો નિષેધ કરતા નથી. તેથી શિષ્ય જે અવિધિ કરે એમાં ગુરુને કોઇ દોષ લાગતો નથી. આવી શંકાનું નિરાકરણ કરતાં કહે છે-) ન ય સયમયમાંીિયાળમવિષેસો પોતાની મેળે મરેલો હોય કે બીજા દ્વારા મારવામાં આવ્યો હોય તે બન્નેમાં સમાનતા નથી પરંતુ બંનેમાં ભેદ છે. (જે વ્યક્તિ સ્વયં અવિધિમાં પ્રવૃત્ત હોય તેણે સ્વયં સૂત્ર-ક્રિયાનો વિનાશ કર્યો છે, આથી તે સ્વયં મરેલા જેવો છે; અને ગુરુની અવિધિની પ્રરૂપણાથી કે અવિધિ પ્રત્યેની ઉપેક્ષાથી શ્રોતા અવિધિમાં પ્રવર્તે, તો ત્યારે જે સૂત્ર-ક્રિયાનો વિનાશ થાય છે એમાં ગુરુ પણ નિમિત્તકારણ બને છે. તેથી તે સૂત્રક્રિયાના વિનાશનું અનિષ્ટ ફળ ગુરુ પણ પ્રાપ્ત કરે છે. તેથી એના સંબંધમાં એવું કહેવાય કે એ બીજા દ્વારા મરાયેલા છે.) હૈં. અહીં=ભગવાનના શાસનને અવિચ્છિન્ન ચલાવવા માટે અવિધિને પણ ચલાવવી જોઇએ એમ જે પૂર્વપક્ષી કહે છે, તે વિષયમાં તિત્યુદ્ધેયમી ર્ફેિ તીર્થઉચ્છેદના ભીરુઓ વડે છ્યું પિ માવિયવ્યું આ પણ ભાવન કરવું જોઇએ. =ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું એ પણ ભાવન કરવું જોઇએ. ગાથાર્થ: = ૧૫૧ સૂત્ર-ક્રિયાનો વિનાશ વક્ર જ છે, દુરન્ત દુઃખફળવાળો જ છે. પોતાની મેળે મરેલો હોય કે બીજા દ્વારા મારવામાં આવ્યો હોય તે બંનેમાં સમાનતા નથી, પરંતુ બંનેમાં ભેદ છે. તીર્થઉચ્છેદના ભીરુઓ વડે ભગવાનના શાસનને અવિચ્છિન્ન ચલાવવા માટે અવિધિને પણ ચલાવવી જોઇએ એમ જે પૂર્વપક્ષી કહે છે, તે વિષયમાં આ પણ ભાવન કરવું જોઇએ. =ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું એ પણ ભાવન કરવું જોઇએ. ભાવાર્થ: સૂત્ર-ક્રિયાનો વિનાશ વક્ર જ છે તેમ કહ્યું તેનાથી એ કહેવું છે કે, સ્વશક્તિ પ્રમાણે વિધિપૂર્વક કરાયેલી સૂત્ર-ક્રિયાથી જીવને કર્મનાશરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, પરંતુ સ્વરુચિ પ્રમાણે જેમ તેમ સૂત્ર-ક્રિયા કરવામાં આવે તો સૂત્ર પ્રત્યે અનાદરનો ભાવ પ્રગટે છે. અને સૂત્ર તે સર્વજ્ઞના વચનરૂપ છે તેથી સર્વજ્ઞ પ્રત્યે પણ અનાદર ભાવ પ્રગટે. જેથી તે ક્રિયા કરીને જ પાપબંધની પ્રાપ્તિ થાય. સૂત્ર પ્રત્યેનો અનાદરભાવ મિથ્યાત્વને દૃઢ કરે છે. આ કારણે જેમ તેમ ક્રિયા કરનાર જીવ દુરંત સંસારને પામે છે. તેથી તેની ક્રિયાથી તીર્થનું રક્ષણ થતું નથી પણ તીર્થનો નાશ જ થાય છે. કેમ કે જીવને તારે તે તીર્થ કહેવાય, પણ તેની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy