SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૧ યોગવિશિકાd. સ્વીકારવામાં આવે તો ક્રિયાત્મક આચરણાઓ કરનાર બે-ત્રણ જીવો જ મળશે, તેથી તીર્થનો ઉચ્છેદ થશે. તેને ગ્રંથકાર કહે છે કે આ રીતે તીર્થના ઉચ્છેદનું આલંબન ગ્રહણ કરીને પણ અવિધિની ક્રિયા ચાલે, તેમ કહેવું નહીં. કેમ કે અવિધિથી જ ક્રિયાઓ ચલાવવામાં આવે તો સંસારી જીવો વિધિમાં યત્ન કરશે નહીં, અને તેથી અવિધિઆત્મક ક્રિયાઓ ચાલશે, અને તે જ સૂત્રક્રિયાનો વિનાશ છે. તેથી તે સૂત્ર-ક્રિયાના વિનાશરૂપ તીર્થના ઉચ્છેદની પ્રાપ્તિ થશે. અહીં વિશેષ એ છે કે અવિધિથી કરવાની અનુમતિ આપવામાં આવે, કે અવિધિથી કરતા હોય તો તેને રોકવામાં ન આવે તો વિધિપૂર્વક કરનારની પ્રાપ્તિ દુર્લભ થશે, અને મોટા ભાગના જીવો એકબીજાને જોઇને અવિધિથી કરનારા થશે. તેથી સ્કૂલ દષ્ટિથી તો એવું લાગશે કે ક્રિયા કરનારા દ્વારા ભગવાનનું શાસન ચાલે છે, પરંતુ વાસ્તવમાં ભગવાનનું શાસન અવિધિપૂર્વક કરાતી ક્રિયા દ્વારા ચાલતું નથી; કારણ કે તેવી આરાધનાથી આત્માનું હિત થાય નહીં, પરંતુ અવિધિના કારણે અહિતની જ વૃદ્ધિ થાય છે. આમ, અહિતની વૃદ્ધિ દ્વારા તીર્થનો ઉચ્છેદ પ્રાપ્ત થયો તેમ જ માનવું પડશે. કેમ કે તીર્થ તો તેને જ કહેવાય છે કે જે કલ્યાણનું કારણ હોય, જ્યારે આ અવિધિની ક્રિયા તો અહિતનું કારણ હોવાથી ત્યાં તો તીર્થનો ઉચ્છેદ જ છે. અવિધિનો નિષેધ કરવામાં આવે તો ક્રિયા કરનારો વર્ગ ચોક્કસ ઓછો પ્રાપ્ત થાય. પરંતુ અવિધિના નિષેધથી જ થોડો પણ વર્ગ ઉદેશના બળથી વિધિપૂર્વક ક્રિયા કરનાર પ્રાપ્ત થશે અને આવા વર્ગના આલંબનથી જ તીર્થની વૃદ્ધિ થશે. અવતરણિકા: પૂર્વની ગાથામાં કહ્યું કે અવિધિથી થતા અનુષ્ઠાનના નિષેધમાં તીર્થનો ઉચ્છેદ આદિનું આલંબન પાણી લેવું નહીં, કેમ કે અવિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી જ સૂત્રક્રિયાનો વિનાશ થાય છે. હવે તે અવિધિથી કરાતા અનુષ્ઠાન દ્વારા થતા સૂત્ર-ક્રિયાના વિનાશની જ અહિતતાને સ્પષ્ટ બતાવતાં કહે છે - सो एस वंकओ चिय न य सयमयमारियाणमविसेसो। एयं पि भावियव्वं इह तित्थुच्छेयभीरूहिं ॥१५॥ स एष वक्र एव न च स्वयंमृतमारितानामविशेषः । एतदपि भावयितव्यमत्र तीर्थोच्छेदभीरुभिः ॥१५।। અન્વયાર્થ: તો પણ તે આ=સૂત્રક્રિયાનો વિનાશ વેવમો જિય વક જ છે દુરન્ત Y-૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy