SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ 0 યોગવિંશિકાઓ બોલતાં સંભળાય છે, અને એ કથન વિરતિ હોતે છતે જ સંભવે છે. તેથી દેશવિરતિધર જ ચૈિત્યવંદનના અધિકારી છે એ સમદ્ વિચારવું જોઇએ. ભાવાર્થ : ચૈત્યવંદન સૂત્રમાં “અપ્પાણે વોસિરામિ” એ પ્રકારે સંભળાય છે અને કાયાને વોસિરાવવાની ક્રિયા દેશવિરતિવાળો જ કરી શકે, કેમ કે કાયાને વોસિરાવવી એ કાયગુપ્તિ સ્વરૂપ છે અને કાયગુપ્તિ એ વિરતિનો ભેદ છે. તેથી જે જીવ દેશથી પણ વિરતિધર હોય તે જ કાયાને વોસિરાવી શકે. દેશવિરતિવાળો દેશથી ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને વિધિપૂર્વક ચૈત્યવંદન કરવા માટે યત્ન કરી શકે છે. તેથી દેશવિરતિ ગુણસ્થાનકવાળા ચૈત્યવંદનના અધિકારી છે. અહીં વિશેષ એ છે કે દેશવિરતિવાળા આગમને પરતંત્ર થઈને ચૈત્યવંદનની ક્રિયા કરે છે ત્યારે સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબનમાં યત્ન કરી શકે, અને તેથી તેમનું ચૈત્યવંદન ભાવ ચૈત્યવંદન બને છે અને તે અમૃતઅનુષ્ઠાનરૂપ છે. અહીંયાં કાયાને વોસિરાવવાની ક્રિયા એ છે કે મન-વચન-કાયાના સભ્ય યત્નથી વીતરાગતાની સાથે ચિત્તનું પ્રતિસંધાન થવું. અને દેશવિરતિધર અનુષ્ઠાનકાળમાં અર્થ અને આલંબનમાં ઉપયોગવાળો હોવાને કારણે તે પ્રકારનું પ્રતિસંધાન કરી શકે છે. જ્યારે સમ્યગ્દષ્ટિ આત્માને સુક્ષ્મબોધ હોવા છતાં ક્રિયામાં અટકાયત પેદા કરનારાં કર્મ હોવાને કારણે તે આગમને પરતંત્ર રહી શકતો નથી. તેથી ઔદંપર્યાર્થિનો પદાર્થ સ્થિર હોય તો પણ ચૈત્યવંદનકાળમાં તે પ્રકારની વીતરાગતાનું પ્રતિસંધાન તે કરી શકતો નથી. તેથી તેનું અનુષ્ઠાન અમૃતઅનુષ્ઠાન બનતું નથી. અપુનબંધકને સ્કૂલ બોધ હોવાથી આ અમૃતઅનુષ્ઠાન બનતું નથી, અને પ્રસ્તુત ગાથામાં મધ્યમ અધિકારીને ગ્રહણ કરેલ હોવાને કારણે ઉપાધ્યાયજી મહારાજાની ટીકાનુસાર તુલાદંડન્યાયથી આદિ અને અંતનું પણ ગ્રહણ કરાયું છે. તેથી દેશવિરતિની પૂર્વમાં અપુનબંધક અને સમ્યગ્દષ્ટિ પણ વ્યવહારથી અધિકારી છે અને પાંચમા ગુણસ્થાનકથી ઉપરના સર્વવિરતિધર પણ પરમ અમૃતઅનુષ્ઠાનમાં તત્પર હોવાને કારણે ચૈત્યવંદન સૂત્રના અધિકારી છે. આનાથી એ ફલિત થાય કે વ્યવહારનયથી અપુનબંધકથી સર્વવિરતિ સુધીના ચૈત્યવંદન સૂત્રના અધિકારી છે, અને નિશ્ચયનય પાંચમાં અને છઠા ગુણસ્થાનકવાળાને ચૈિત્યવંદનના અધિકારી માને છે. ll૧૭-૧3lI Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy