SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧33 યોગવિંશિકાd ભેદોમાંથી કોઇ પણ એક ભેદવાળો હોઇ શકે છે. તેથી સ્થાનાદિ પાંચને ઇચ્છાદિ ચાર વડે ગુણવાથી યોગના ૨૦ ભેદોની પ્રાપ્તિ થાય. ઇચ્છાનું લક્ષણ ગ્રંથકાર સ્વયં આગળ કરવાના છે. છતાં પદાર્થના બોધરૂપે ઉપયોગી હોવાથી તેની વિચારણા આ રીતે કરી શકાય. # કોઈ જીવ જ્યવીયરાય સૂત્ર” બોલતો હોય તે વખતે “મુક્તાશુક્તિ મુદ્રામાં તે યત્ન કરે તો તે મુદ્રા યાચનાના ભાવને બતાવે છે. તેથી તે મુદ્રા દ્વારા વીતરાગ પાસે હું કંઇક યાચના કરું છું તે પ્રકારનો અધ્યવસાય તે મુદ્રાના ઉપયોગથી થાય છે. આ સ્થાનયોગ સ્વરૂપ છે. * ત્યાર પછી “જયવીયરાય સૂત્ર'ના શબ્દમાં ઉપયોગ રાખે ત્યારે પોતે ભવનિર્વેદ આદિ શબ્દમાં ઉપયોગના બળથી સામાન્યથી ભગવાન પાસે ભવનિર્વેદ માંગે છે તેવો અધ્યવસાય છે. એ ઊર્ણયોગ સ્વરૂપ છે. * વળી જ્યારે અર્થમાં ઉપયોગ હોય છે ત્યારે ભવનિર્વેદ આદિ ભાવોના ઔદંપર્યાર્થના બોધપૂર્વક તે ભાવો પોતાનામાં વિકસાવવા માટેનો ઉપયોગ હોય છે. આ અર્થયોગ કહેવાય # વળી જ્યારે પ્રતિમાના આલંબનમાં ઉપયોગ હોય ત્યારે વીતરાગની મુદ્રાના બળથી જ વીતરાગતા આદિ ભાવોને જોઈને વીતરાગ પાસે હું યાચના કરું છું તેવો અધ્યવસાય ઉત્પન્ન થાય છે. તે આલંબન યોગ છે. # કોઇ જીવ ચૈત્યવંદનની ક્રિયા કરતાં ક્રમસર સ્થાન અને ઊર્ણમાં સુદઢ યત્ન કરતો હોય અને ત્યાર પછી અર્થના આલંબનથી અને મૂર્તિના આલંબનથી વિશેષરૂપે વીતરાગભાવ સાથે તન્મય થવા યત્ન કરતો હોય. ત્યાર પછી જ્યારે તે ઉપયોગ જ કંઈક વિશેષ બને ત્યારે અર્થ અને આલંબનનો ઉપયોગ છોડીને વીતરાગના આત્મામાં વર્તતી અનંત જ્ઞાન, અનંત વિર્ય અને અનંત સુખમય એવી અનાકૂળ આત્માની અવસ્થાને સાક્ષાત્ ઉપયોગના બળથી જોવા માટે યત્નવાળો બને તો, ત્યારે અરૂપી એવા વીતરાગતા આદિ ભાવો સાક્ષાત્ તેને દેખાતા નથી, તેથી તે ઉપયોગ માટે આલંબનભૂત પદાર્થ ત્યાં નથી. આથી જ આ અપેક્ષાએ તે ઉપયોગને નિરાલંબનયોગ કહેવાય છે. તે જ ઉપયોગમાં આત્માના વીતરાગતા આદિ ભાવો જીવને કંઇક અસ્પષ્ટ દેખાય છે, અને તેના જ અવલંબનથી વીતરાગતા આદિ ભાવોને સ્પષ્ટ જોવા તે યત્ન કરે છે. તેથી તે ઉપયોગના વિષયભૂત અસ્પષ્ટ વીતરાગતા આદિ ભાવોનું આલંબન છે તે અપેક્ષાએ તે ઇષ આલંબનવાળો ઉપયોગ છે. આ જ નિરાલંબન યોગ છે. આ રીતે સ્થાનાદિના ક્રમસર ઉપયોગ વર્તતા હોય છે. તે ઉપયોગ અભ્યાસદશામાં શાસ્ત્રાનુસારી કરવાની ઇચ્છારૂપ હોય છે. આમ છતાં, શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ થઇ શકતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy