SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ યોગવિંશિકાતુ. (યોગરૂપે) ઇચ્છે છે. દય પૂર્વની ગાથાના સમુચ્ચયના અર્થમાં છે. ક તથા દેશચારિત્રી અને સર્વચારિત્રીના સમુચ્ચયના અર્થમાં છે. ગાથાર્થ: દેશવિરતિધરને તથા સર્વવિરતિધરને સ્થાનાદિરૂપ યોગ નિયમથી હોય છે. (નિશ્ચયનયથી તે સિવાયનાને સ્થાનાદિ યોગ હોતા નથી. આમ છતાં, વ્યવહારના યોગના કારણમાં યોગનો ઉપચાર કરીને તે સિવાયનાને બતાવવા માટે કહે છે ) આથી કરીને જ દેશચારિત્રીથી અને સર્વચારિત્રીથી અન્ય એવા અપુનબંધક અને સમ્યગ્દષ્ટિના યોગના બીજમાત્રને વ્યવહારનયપ્રધાન એવા કેટલાક યોગરૂપે ઇચ્છે છે. ભાવાર્થ: પાંચમા અને છઠા ગુણસ્થાનકવતીં ચારિત્રવાળાને ભાવથી ગુમિ વર્તે છે અને તેથી જ તેઓને ચૈત્યવંદનાદિ ક્રિયાકાળમાં સ્થાનાદિ પાંચમાંથી યથાયોગ્ય યોગ નિયમથી હોય છે. જ્યારે અપુનબંધક અને સમ્યગ્દષ્ટિને વિરતિનો પરિણામ નહિ હોવાથી દેશથી પણ વિરતિ હોતી નથી, આથી સ્થાનાદિ પાંચેય યોગો તેમને બીજમાત્રરૂપે હોય છે અર્થાત્ કારણ ભૂમિકામાં હોય છે. નિશ્ચયનય પાંચમા અને છઠા ગુણસ્થાનકમાં યોગ સ્વીકારે છે. તેથી ગાથાના પૂર્વાધમાં નિશ્ચયનયને સામે રાખીને દેશવિરતિધર અને સર્વવિરતિધરને નિયમથી યોગ સ્વીકારેલ છે. વ્યવહારનય યોગના કારણને પણ ઉપચારથી યોગ તરીકે સ્વીકારે છે. તેથી વ્યવહારનયપ્રધાન કથન કરનાર આચાર્યો અપુનબંધક અને સમ્યગ્દષ્ટિના ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો યોગનું કારણ હોવાથી, તેઓના ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનને પણ યોગરૂપે કહે છે. II૧૭-3 અવતરણિકા: બીજી ગાથામાં યોગના સ્થાનાદિ પાંચ ભેદો બતાવ્યા. હવે તેના જ પેટાભેદો બતાવતાં કહે છે - इक्किको य चउद्धा इत्थं पुण तत्तओ मुणेयव्वो । इच्छापवित्तिथिरसिद्धिभेयओ समयनीईए ।।४।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy