SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ 9 પ્રાયશ્ચિત્તવિશિકા] સ્થાનમાં તેના પાપને અનુરૂપ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવતાં, તેને સાધુના વેશમાં જ સાધુ તરીકે અનવસ્થાપન કરીને ઉચિત તપ કરાવ્યા પછી, તેનામાં ફરી વ્રતોનું આરોપણ કરવામાં આવે છે. મૂલ પ્રાયશ્ચિત્ત કરતાં આની વિશેષતા એટલી છે કે મૂલ પ્રાયશ્ચિત્તમાં તરત જ વ્રતનું આરોપણ કરાય છે, જ્યારે આ પ્રાયશ્ચિત્તમાં સાધુના વેશમાં જ સાધુ તરીકે અનવસ્થાપન કરીને અમુક તપ કરાવ્યા પછી ફરી વ્રતોનું આરોપણ કરાય છે. ૧૬-૧૫ અવતરણિકા: દસ પ્રાયશ્ચિત્તમાં હવે દસમા પારાંતિ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિનું સ્થાન અને સ્વરૂપ બતાવે છે - पुरिसविसेसं पप्पा पावविसेसं च विसयभेएण । पायच्छित्तस्संतं गच्छं तो होइ पारंची ॥१६।। पुरुषविशेषं प्राप्य पापविशेषं च विषयभेदेन । प्रायश्चित्तस्यान्तं गच्छन्भवति पार्यन्तिकः ॥१६॥ અqયાર્થ: પુલિવિાં પુરુષવિશેષને વિસા અને વિષયના ભેદથી પવિલે પાપવિશેષને પપ્પા પ્રાપ્ત કરીને પાછિત્ત સંત છતો પ્રાયશ્ચિત્તના અંતને પામતું પાવી દો પારાંતિ પ્રાયશ્ચિત્ત થાય છે. ગાથાર્થ: પુરુષવિશેષને અને વિષયના ભેદથી પાપવિશેષને પ્રાપ્ત કરીને પ્રાયશ્ચિત્તના અંતને પામતું પારાંશ્ચિત પ્રાયશ્ચિત્ત થાય છે. ભાવાર્થ: પારાંશ્ચિત પ્રાયશ્ચિત્ત પુરુષવિશેષને જ આવે છે. તેનાથી એ બતાવવામાં આવ્યું છે કે આ પ્રાયશ્ચિત્ત આચાર્યાદિ પદને પામેલ જીવ જ્યારે પાપ કરે ત્યારે તેઓને જ આવે છે. તે સિવાય અન્ય સાધુઓને પારાંશ્ચિત પ્રાયશ્ચિત્ત આવતું નથી. વળી વિષયના ભેદથી પાપવિશેષને પ્રાપ્ત કરીને આ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે, તેમ કહીને એ કહેવું છે કે, આમ તો જો પાંચ મૂળવ્રતમાં ચોથા વ્રતનું ઉલ્લંઘન થાય તો મૂલ પ્રાયશ્ચિત્ત આવે છે, પરંતુ જો રાજરાણી કે સાધ્વીરૂપ વિશેષ વિષયને આશ્રયીને ચોથી વ્રતનું ઉલ્લંઘન થાય તો વિષયના ભેદથી તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy