SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ આલોચનાવિશિકા! (3) પ્રમાદ:-સંયમ યોગમાં દઢ યત્ન કરવા પ્રત્યે જીવનો જે શિથિલ પરિણામ છે, તે પ્રમાદ છે. તેના કારણે જે સંયમ સંબંધી વિપરીત આચરણા થાય છે તે પ્રમાદથી કરાયેલ પાપ છે. (૪) કલ્પ:- કાળવિશેષથી લાભાલાભને જોઈને જે સંયમની વિપરીત આચરણા કરવામાં આવે તે કલ્પરૂપ વિપરીત સેવન છે. જો કે કલ્પરૂપ વિપરીત આચરણામાં પ્રાયશ્ચિત્ત થાય નહીં, તો પણ અનાભોગથી કોઇક સૂક્ષ્મ પ્રમાદ થયો હોય, તે ન થાય તેને માટે કલ્પથી કરાયેલા વિપરીત પાપોનું નિવેદન કરીને પ્રાયશ્ચિત્ત લેવાય છે. આ ચારે પ્રકારમાંથી પોતે કયા પ્રકારના પરિણામથી વિપરીત આચરણા કરી છે તેનું સમાલોચન કરીને ગુરુ આગળ નિવેદન કરવું જોઈએ, જેથી ગુરુ ઉચિત પ્રાયશ્ચિત્ત આપી શકે. આલોચના કરવાનો ક્રમ અગીતાર્થને આશ્રયીને એ છે કે, પૂર્વમાં કરેલું પાપ હોય તે પ્રથમ કહેવાનું અને પાછળથી કરાયેલું પાપ હોય તે પાછળથી કહેવાનું હોય છે. જ્યારે ગીતાર્થને આશ્રયીને સૌથી જઘન્ય પાપ પ્રથમ કહેવાનું છે અને ઉત્કટ પાપ અંતમાં કહેવાનું છે. ગીતાર્થને કયાં પાપોનું કયું પ્રાયશ્ચિત્ત છે તેનું જ્ઞાન હોય છે, તેથી સૌથી જઘન્ય પાપ અને સૌથી અધિક પાપનો વિભાગ તે કરી શકે છે. આલોચના તીવ્ર સંવેગથી કરવાની છે. જેમ જેમ આલોચના કરાય તેમ તેમ સંવેગની વૃદ્ધિ થાય તે રીતે કરવાની છે. તેથી ગીતાર્થ પ્રથમ જઘન્ય પાપ કહે અને ત્યાર પછી ક્રમસર અધિક અધિક પાપો કહે, જેને કારણે સૌથી અધિક પાપ કહેતી વખતે સંવેગનો પ્રકર્ષ થયેલો હોય; તેથી આલોચનાકાળમાં જ વિશેષ શુદ્ધિની પ્રાપ્તિ થાય. આથી જ ગીતાર્થ માટે જઘન્યથી માંડીને ક્રમસર અધિક પાપ કહેવાની વિધિ છે. જ્યારે અગીતાર્થ તે વિભાગ કરી શકે નહિ, તેથી પ્રથમ કરેલા પાપને પ્રથમ કહે અને પાછળથી કરેલા પાપને પાછળથી કહે, જેથી પ્રાયશ્ચિત્ત આપનાર ગુરુ એ નિર્ણય કરી શકે કે, પાપ કરનારનો જ્યારે અધિક પાપનો પરિણામ થયેલ અને કયારે ઓછો થયેલ, અને તેના પ્રમાણે ગુરુ ઉચિત પ્રાયશ્ચિત્ત આપી શકે. II૧૫-૧૮ના અવતરણિકા: પૂર્વગાથામાં બતાવ્યું કે જ્યારે પાપ થાય ત્યારે તરત જ આલોચના કરવી જોઇએ. આમ છતાં પક્ષાદિમાં પણ આલોચના કરવાની વિધિ છે. તેનું પ્રયોજન શું છે તે બતાવવા અર્થે કહે છે - एवमवि य पक्खाई जायइ आलोयणाओ विसओ त्ति । गुरुकजाणालोयण भावाणाभोगओ चेव ॥१९।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy