________________
0 ચરમપરિવર્તવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ગાથાર્થ :
ગાથા-૧૨માં કહ્યું એ રીતે કાળનું આ બુદ્ધિમાં ઉપસ્થિત એવું પ્રાધાન્ય જાણવું. તે કારણથી કાળ સંસારપરિભ્રમણ શક્તિના વિગમનો હેતુ છે, જે કારણથી સંસારપરિભ્રમણશક્તિ પણ કાળનો સ્વભાવ છે.
ભાવાર્થ :
ગાથા-૧રમાં નિશ્ચય અને વ્યવહાર દૃષ્ટિથી તત્સક્તિના વિગમનના કારણરૂપે કાળને કહેલ, તે રીતે તત્સક્તિવિગમન પ્રત્યે કાળ પ્રધાન કારણ થયું, અને કાળ પ્રધાન કારણ થયું તેથી જ એમ કહેવાય કે, કાળનો જ એવો સ્વભાવ છે કે તે સંસારપરિભ્રમણશક્તિને ધારી રાખે, તેથી જ પૂર્વના કાળનો એવો સ્વભાવ હતો કે જેના કારણે જીવમાં તે શક્તિ હતી અને હવે જયારે કાળ પાક્યો ત્યારે સંસારપરિભ્રમણશક્તિનું વિગમન થયું.
આનાથી એ ફલિત થયું કે દરેક જીવ પણ અનાદિનો છે અને કાળ પણ અનાદિનો છે, અને જે જીવનો કાળ પાકે છે ત્યારે તે જીવનો ચરમાવર્ત આવે છે. તેથી તે જીવનો પૂર્વકાલમાં સંસારપરિભ્રમણસ્વભાવ છે અને તે જીવનો ચરમાવર્તિકાલ તે સંસારપરિભ્રમણશક્તિના નાશનો હેતુ છે.
અહીં વિશેષ એ છે કે જે મહિનામાં ઉનાળો આવે તે મહિનારૂપ કાળનો ગરમીનો સ્વભાવ છે તેમ ઉપચારથી વ્યવહારમાં કહેવાય છે, તેમ સંસારપરિભ્રમણશક્તિ વાસ્તવિક રીતે તો જીવમાં હોવા છતાં પણ તે શક્તિ કાળમાં અર્થાત્ ચરમાવર્ત સિવાયના કાળમાં જીવમાં વર્તે છે, તેથી સંસારપરિભ્રમણશક્તિ કાળનો સ્વભાવ છે એમ કહેલ છે. આ પ્રમાણે અર્થ ભાસે છે. તત્ત્વ બહુશ્રુત જાણે.JI૪-૧૩
અવતરણિકા -
પૂર્વમાં સિદ્ધ કર્યું કે સંસારપરિભ્રમણશક્તિનો વિગમ નિયત કાળથી જ થાય છે. તેથી કોઈને ભ્રમ થાય કે ચરમાવર્તની પ્રાપ્તિ પ્રત્યે કાળ માત્ર જ કારણ છે, તેનું નિરાકરણ કરતાં કહે છે
कालो सहाव नियई पुव्वकयं पुरिस कारणेगंता । मिच्छत्तं; ते चेव उ समासओ हुंति सम्मत्तं ॥१४॥ कालः स्वभावो नियतिः पूर्वकृतं पुरुषः कारणैकान्तः । मिथ्यात्वं; ते चेव तु समांसतो भवन्ति सम्यक्त्वम् ।।१४।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org