SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ | વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન 9 શ્રાવકપ્રતિમાવિંશિકા / ભાવાર્થ : સામાન્ય રીતે શ્રાવક બાર વ્રતોને ધારણ કરનાર હોય છે, તો પણ શ્રાવક બાર વ્રતોને ગ્રહણ કર્યા પછી બે માસ સુધી આ બીજી પ્રતિમા ધારણ કરે છે. બીજી પ્રતિમામાં પ્રથમની પ્રતિમાની બધી આચરણાઓ પણ અવશ્ય હોય છે. શ્રાવક બીજી પ્રતિમા વખતે નિરતિચારપણે પાંચ અણુવ્રતોમાં યત્ન કરે છે અને તેમાં જ તેના ચિત્તનો અત્યંત પ્રતિબંધ હોય છે. આ પ્રતિમાકાળમાં વિશેષ પ્રકારની જીવદયા અને ધર્મશાસ્ત્રના શ્રવણની ક્રિયા હોય છે એ પ્રકારે પંચાશકમાં કહેલું છે. શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું છે કે અતિચારરહિત પાંચ અણુવ્રતના ધારણરૂપ બીજી વ્રતપ્રતિમા છે, તેથી શાસ્ત્રનાં વચનો દ્વારા પાંચ અણુવ્રતોના અતિચારોને જાણવા જોઇએ, એ પ્રકારે શ્લોકના ઉત્તરાર્ધમાં નિર્દેશ કરેલ હોય એમ જણાય છે.ll૧૦-પા અવતરણિકા : હવે ત્રીજી સામાયિકપ્રતિમા કહે છે तह अत्तवीरिउल्लासजोगओ रयतसुद्धिदित्तिसमं । सामाइयकरणमसइ सम्मं सामाइयप्पडिमा ॥६॥ तथात्मवीर्योल्लासयोगतो रजतशुद्धिदीप्तिसमम् । सामायिककरणमसकृत्सम्यक्सामायिकप्रतिमा Tદ્દા અન્વયાર્થ : તદ તે પ્રકારના સત્તવારિ૩&ાસનોપાડો આત્મવીર્ષોલ્લાસના યોગથી તિદ્ધિવિત્તિસનં રજતની શુદ્ધિની દીપ્તિ સમાન મસરૂ સમં સામાફિર અનેક વાર સમ્યમ્ સામાયિકનું કરણ સામારૂપૂમિ (એ) સામાયિકપ્રતિમા છે. ગાથાર્થ : તે પ્રકારના આત્મવીર્યોલ્લાસના યોગથી રજતની શુદ્ધિની દીપ્તિ સમાન અનેક વાર સમ્યગ સામાયિકનું કરણ એ સામાયિકપ્રતિમા છે. ભાવાર્થ : પંચાશકમાં બતાવેલ છે તે પ્રમાણે સામાયિક કરનાર શ્રાવક સાવદ્ય વ્યાપારના V -૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy