SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 7 શ્રાવકધર્મવિશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન સવારની આટલી ક્રિયાઓ કર્યા પછી શ્રાવકે અવિરુદ્ધ વ્યવહાર (વ્યાપાર-ધંધો) કરવો જોઇએ, એટલે કે અર્થોપાર્જન માટે પંદર કર્માદાનના પરિહારપૂર્વક અનવદ્યપ્રાયઃ પ્રયત્ન કરવો જોઇએ, અર્થાત્ જેમાં બહુ આરંભ-સમારંભ ન હોય તેવો વ્યાપાર કરવો જોઇએ, જેથી ધર્મમાં બાધા ન થાય અને પ્રવચનની હીલના પણ ન થાય. કેમ કે જો શ્રાવકનો વ્યવહાર ઉચિત ન હોય તો તેનો ધર્મ પણ બાધા પામે છે અને લોકોમાં પણ તેના ધર્મની હીલના થાય છે. ન વળી ક્ષુધાદિ લાગેલ ન હોય અને અજીર્ણાદિ થયાં હોય તે કાળમાં ભોજન કરવાનો નિષેધ છે, તેને છોડીને જે શરીરને અનુરૂપ કાળ છે તેમાં અને પચ્ચક્ખાણ ગ્રહણ કરેલું હોય તે પૂર્ણ થતાં, શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક ભોજન કરવું જોઇએ. અને આ પ્રમાણે શાસ્ત્રમાં ભોજનવિધિ બતાવેલ છે- પહેલાં ભગવાનની પૂજા કરવી, ઉચિત દાન આપવું, પરિવારની સંભાળ રાખવી, પરિવાર સંબંધી ઉચિત કૃત્યો કરવાં અને પછી ભોજનગ્રહણના ઉચિત સ્થાનમાં બેસીને ગ્રહણ કરેલ પચ્ચક્ખાણનું સ્મરણ કરવા પૂર્વક વ્રણલેપની જેમ આહારમાં વૃદ્ધિ ન થાય તે રીતે ભોજન કરવું જોઇએ. ભોજન કર્યા બાદ શક્તિને અનુરૂપ ગંઠશી આદિ પચ્ચક્ખાણ કરવું જોઇએ જેથી અપ્રમાદભાવની વૃદ્ધિ થાય. ૧૯૮ ભોજન બાદ ચૈત્યગૃહમાં આગમનું શ્રવણ કરવું જોઇએ. અહીં પ્રાયઃ કરીને ચૈત્યગૃહના રંગમંડપમાં મહાત્માઓ આગમનું વ્યાખ્યાન કરતા હોય છે તેને સામે રાખીને કહેલ છે. તેથી ઉપલક્ષણથી જ્યાં મહાત્માઓ વસતા હોય ત્યાં જઇને આગમનું શ્રવણ કરવું જોઇએ. સંધ્યાકાળમાં ધૂપ-દીપાદિ પૂજાથી ભગવાનનો સત્કાર કરવો જોઇએ અને ચૈત્યવંદન કરવું જોઇએ. આદિ શબ્દથી દહેરાસર સંબંધી ઉચિત કૃત્ય કરવાં જોઇએ. ત્યારપછી યતિની વિશ્રામણા કરવી જોઇએ, અર્થાત્ સાધુના ઉપાશ્રયે જઇને તેમનાં વૈયાવચ્ચ આદિ જે ઉચિત કૃત્યો હોય તે સર્વ કરવાં જોઇએ. જો કે સામાન્યથી સાધુને શ્રાવક પાસે વૈયાવચ્ચ કરાવવાનો નિષેધ છે, પરંતુ પોતાના સંયમની વૃદ્ધિનું કારણ બને તેવું પુષ્ટાલંબન હોય તો તેવા પ્રકારના ભાવવાળા શ્રાવકાદિ પાસે સાધુ વૈયાવચ્ચ કરાવે. સાધુની વૈયાવચ્ચ કરીને તેમની પાસે રહીને શ્રાવકે પોતાની ભૂમિકાને ઉચિત નવકારચિંતન આદિ યોગ કરવા જોઇએ. આદિ પદથી પોતાની ભૂમિકાને અનુરૂપ સ્વાધ્યાય આદિ કરે. અહીં વિશેષ એ છે કે, પોતાની ભૂમિકા પ્રમાણે પંચપરમેષ્ઠીના સ્મરણપૂર્વક ધ્યાનમાં પ્રવૃત્તિ કરવાથી ચિત્તવિશુદ્ધિ થતી હોય તો તેમાં પ્રવૃત્તિ કરવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005543
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy