________________
૧૯૬
0 શ્રાવકધર્મવિંશિકા D વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન અને તેનાથી=અબ્રહ્મથી, નિવૃત્ત એવા મુનિઓમાં બહુમાનભાવ થાય તે રીતે પદાર્થનું ચિંતવન કરવું જોઇએ.
ગાથાર્થ :
શ્રાવકે નવકારના સ્મરણપૂર્વક જાગવું જોઇએ. “હું શ્રાવક છું અને આ મારાં વ્રતો છે” એનું અનુસ્મરણ કરવું જોઈએ. સૂઇને ઊઠ્યા પછી મળમૂત્ર આદિની શંકાના નિવારણરૂપ વ્યાપાર કરવો જોઇએ. ત્યારપછી વિધિપૂર્વક ચૈત્યવંદન અને ઉપલક્ષણથી પ્રતિક્રમણાદિ કરવું જોઈએ અને પચ્ચખાણ કરવું જોઈએ. ત્યારપછી વિધિપૂર્વક દહેરાસર જવું જોઈએ, ભગવાનનો પુષ્પાદિ વગેરે પૂજાની સામગ્રીથી સત્કાર કરવો જોઇએ અને ચૈત્યવંદન કરવું જોઈએ. ત્યારબાદ ગુરુ પાસે જઈને પચ્ચખાણ કરવું જોઈએ અને આગમનું શ્રવણ કરવું જોઈએ. ત્યારપછી સાધુને તેમના શરીર અને સંયમયાત્રા સંબંધી પૃચ્છા કરવી જોઈએ અને તેમાં બાધા હોય તો તેના નિવારણ માટે ઉચિત યત્ન કરવો જોઇએ. ત્યારપછી અર્થઉપાર્જન માટે અવિરુદ્ધ વ્યવહાર કરવો જોઇએ. અનુરૂપ કાળમાં અને ગ્રહણ કરેલું પચ્ચખાણ પૂર્ણ થતાં શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક ભોજન કરવું જોઇએ, અને ભોજન કર્યા પછી શક્તિ પ્રમાણે પચ્ચખાણ કરવું જોઈએ. ત્યારપછી ચૈત્યગૃહમાં આગમનું શ્રવણ કરવું જોઇએ, અને ત્યારપછી સંધ્યાકાળમાં ભગવાનનો સત્કાર અને ચૈત્યવંદન આદિ કરવું જોઈએ. ત્યારપછી યતિની વિશ્રામણા કરવી જોઇએ, ત્યારપછી સાધુ પાસે રહીને નવકારચિતન આદિ ઉચિત યોગ કરવા જોઈએ. ત્યારપછી ઘરે જવું અને ત્યાં વિધિપૂર્વક શયન કરવું અને હવે તે શયનની વિધિ બતાવે છે.) ગુરુદેવતાદિનું સ્મરણ કરવું જોઇએ. વળી સૂતી વખતે અબ્રહ્મચર્યના વિષયમાં શ્રાવકે સ્વશક્તિને અનુરૂપ વિરતિ કરવી જોઈએ, મોહની જુગુપ્સા કરવી જોઇએ અને સ્ત્રી શરીરના સ્વતત્વની ચિંતા કરવી જોઈએ અને અબ્રહ્મથી નિવૃત્ત એવા મુનિઓમાં બહુમાનભાવ થાય તે રીતે પદાર્થનું ચિંતવન કરવું જોઇએ. ભાવાર્થ -
જગતમાં જીવની સૌથી ઉત્તમ અવસ્થા આ પંચ પરમેષ્ઠી જ છે. તત્ત્વના જાણનાર શ્રાવકને તે અવસ્થા પ્રત્યે અત્યંત બહુમાન વર્તતું હોય છે. તે બહુમાન ઉલ્લસિત કરે તે પ્રકારના ઉપયોગપૂર્વક શ્રાવકે સવારના ઊઠતાંની સાથે સૂતાં સૂતાં જ મનમાં નવકારનું સ્મરણ કરવું જોઇએ. વળી શ્રાવક ધર્મસાધક વ્યક્તિ છે, તેથી પોતાની સાધનામાં આવતાં વિઘ્નોનો નાશ થાય તે માટે પણ તેણે પરમ મંગલરૂપ નવકારનું સ્મરણ કરવું જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org