SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧૪ ૪૭ ગાથા : परिणामि जीव मुत्तं, सपएसा एग खित्त किरिया य । णिच्चं कारण कत्ता, सव्वगय इयर अप्पवेसे ।।१४।। ગાથાર્થ : પરિણામી, જીવ, મૂર્ત, સપ્રદેશી, એક, ક્ષેત્ર, ક્રિયા, નિત્ય, કારણ, કર્તા, સર્વગત ઈતર-પરિણામી આદિથી માંડીને સર્વગત સુધીથી ઈતર અર્થાત્ અપરિણામી, અજીવ, અમૂર્ત, અપ્રદેશવાળા, અનેક, ક્ષેત્રી, અમ્રિા , અનિત્ય, અકારણ, અર્જા, અસર્વગત, અને અપ્રવેશી. II૧૪ll ભાવાર્થ : પૂર્વમાં જીવ દ્રવ્ય અને પાંચ ભેદવાળું અજીવ દ્રવ્ય બતાવ્યું, તેથી કુલ છ દ્રવ્યની પ્રાપ્તિ થઈ. હવે તે છ દ્રવ્યમાં કયું દ્રવ્ય પરિણામી છે અને કયું અપરિણામી છે, તેનો વિચાર કરવાથી તે દ્રવ્યનો વિશેષ બોધ થાય છે, તેમ કયું દ્રવ્ય જીવ છે, મૂર્ત છે આદિ બાર દ્વારોથી વિચારણા કરવાથી દરેક દ્રવ્યનો વિશેષ બોધ થાય છે. તે આ રીતે – પરિણામ-અપરિણામી પરિણામી એટલે એક અવસ્થામાંથી અન્ય અવસ્થામાં જવું અર્થાત્ દ્રવ્યરૂપે સ્થિર રહીને એક ભાવમાંથી અન્ય ભાવને પામવું તે પરિણામી. જૈનશાસનની દૃષ્ટિએ દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત કહેવાયો છે. તેથી પરમાર્થથી ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યો પરિણામી છે. આમ છતાં દૃષ્ટ વ્યવહારમાં જીવ અને પુદ્ગલના પરિણામો દેખાય છે. તેથી વ્યવહારથી પુદ્ગલ દ્રવ્ય અને જીવદ્રવ્યને પરિણામી કહેવામાં આવે છે, અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ત્રણ દ્રવ્યો સદા એક અવસ્થામાં પ્રાપ્ત થતા હોવાથી અપરિણામી કહેવાય છે. કાળ એક સમયાત્મક છે, તેથી વર્તમાન ક્ષણમાત્ર રૂપ છે, તેથી કાળને પણ પરિણામી કહી શકાય નહિ. દરેક વસ્તુ દ્રવ્યરૂપે ધ્રુવ છે અને પર્યાયરૂપે એક પર્યાયને છોડીને અન્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy