SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧૧ ૪૩ અવતરણિકા : ગાથા-૯-૧૦માં પાંચ અજીવ દ્રવ્યો બતાવ્યાં અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો સ્વભાવ બતાવ્યો અને પુદ્ગલનો સ્વભાવ શું છે, તે બતાવ્યું નહિ, પરંતુ પુદ્ગલના ચાર ભેદો બતાવ્યા. હવે પુદ્ગલનો સ્વભાવ બતાવવા અર્થે પુગલનું લક્ષણ કરે છે – ગાથા - सबंधयार उज्जोअ, पभा छायातवेहि अ । वन गंध रसा फासा, पुग्गलाणं तु लक्खणं ।।११।। ગાથાર્થ : શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પુગલોનું લક્ષણ છે. ||૧૧|| ભાવાર્થ અહીં લક્ષણ એટલે લક્ષ્યનો જેનાથી બોધ થાય તે લક્ષણ. આ અર્થથી વિચારીએ તો શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને આતપ એ પુદ્ગલનું લક્ષણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સર્વ પુદ્ગલ શબ્દરૂપ નથી, પણ જે શબ્દરૂપ દેખાય તે પુદ્ગલ છે તેવો નિર્ણય કરી શકાય છે. તેથી શબ્દથી માંડીને આતપ સુધીના લક્ષણવાળા આ પુદ્ગલો છે, તેમ નિર્ણય કરી શકાય છે. વળી, લક્ષ્યમાત્રમાં રહેતા હોય અને અલક્ષ્યથી લક્ષ્યની વ્યાવૃત્તિ કરે તે લક્ષણ કહેવાય, અને આવું લક્ષણ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવદોષથી રહિત હોય છે. જો લક્ષણનો આવો અર્થ કરીએ તો પુદ્ગલમાત્રમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહેલ છે. આનાથી એ ફલિત થાય કે એક સ્વતંત્ર પરમાણુથી માંડીને અનંત પરમાણુના દરેક સ્કંધમાં અવશ્ય વર્ણાદિ ચારે લક્ષણો હોય છે. આમ, શબ્દાદિ છે અને વર્ણાદિ ચાર એમ કુલ દસ લક્ષણો દ્વારા પુદ્ગલ દ્રવ્ય અન્ય દ્રવ્ય કરતાં જુદું છે, તેનો બોધ થાય છે. “પુદ્ગલ” શબ્દની વ્યુત્પત્તિ એ છે કે જેમાં પૂરણ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy