SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૮, ૯-૧૦ ૪૧ પણ પ્રાપ્તિ થાય છે. આ પુદ્ગલદ્રવ્ય ધર્માસ્તિકાય આદિની જેમ એક એક દ્રવ્ય નથી, પરંતુ અનંતા પરમાણુરૂપે પણ છે અને અનંતા સ્કંધોરૂપે પણ છે. વળી, તે સ્કંધો બે પરમાણુના બનેલા હોય કે ત્રણ ૫૨માણુના બનેલા હોય અને ઉત્કૃષ્ટથી અનંત અનંત પરમાણુના પણ બનેલા હોય, અને આવા અનંત અનંત ૫૨માણુના બનેલા સ્કંધો પણ ચૌદ રાજલોકવર્તી જગતમાં અનંત છે, અને તે સ્કંધોમાંથી કોઈપણ એક સ્કંધને લઈને વિચારણા કરીએ તો તેના ત્રણ ભાગ પ્રાપ્ત થાય. (૧) સ્કંધ, (૨) સ્કંધનો બે પરમાણુનો કે તેથી અધિક પરમાણુનો બનેલો ભાગ તે દેશ અને (૩) સ્કંધનો સૌથી નાનામાં નાનો ભાગ તે પ્રદેશ. પુદ્ગલના આ ત્રણ ભેદો ઉપરાંત સ્કંધોમાંથી છૂટા પડેલા પ્રદેશોનો નાનામાં નાનો ભાગ તે પરમાણુ. એમ પુદ્ગલના ચાર ભેદ અહીં ગ્રહણ કરેલ છે. IIII અવતરણિકા : પૂર્વગાથામાં અજીવતત્ત્વના ચૌદ ભેદો બતાવ્યા. હવે અજીવ દ્રવ્ય કેટલાં છે ? અને તેઓનો સ્વભાવ શું છે ? તે બતાવે છે ગાથા : धम्माऽधम्मा पुग्गल, नह कालो पंच हुंति अज्जीवा । चलणसहावो धम्मो, थिरसंठाणो अहम्मो य ।। ९ ।। अवगाहो आगासं, पुग्गलजीवाण पुग्गला चउहा । ધંધા વેસ પણ્મા, પરમાણુ ચેવ નાય∞ા ।|| ગાથાર્થ ઃ ધર્મ, અધર્મ, પુદ્ગલ, નભ=આકાશ અને કાળ પાંચ અજીવ દ્રવ્યો છે. ચલન સ્વભાવવાળો ધર્મ છે–ચલન ક્રિયા કરનારા જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરવાના સ્વભાવવાળો ધર્માસ્તિકાય છે, અને સ્થિર સંસ્થાન અધર્મ છે=ગતિ કરતાં પુદ્ગલોને અને જીવને સ્થિર સંસ્થાન કરવામાં=સ્થિર રહેવામાં, સહાય કરવાના સ્વભાવવાળો અધર્માસ્તિકાય છે. પુદ્ગલને અને જીવને અવગાહન આપનાર આકાશ છે=પુદ્ગલને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy