SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪ (૪) પર્યાપ્તિ-અપર્યાપ્તિનું જ્ઞાન :તત્ત્વાર્થસૂત્ર પ્રમાણે અને કર્મગ્રંથ પ્રમાણે પર્યાપ્તિનું સ્વરૂપ નીચે મુજબ છે. (I) તત્ત્વાર્થસૂત્ર પ્રમાણે પર્યાપ્તિનું સ્વરૂપ - पर्याप्तिः पुद्गलरूपाऽऽत्मनः कर्तुः करणविशेषः । (तत्त्वार्थ सूत्र अ. ८, सू. ૨૨, શ્રી સિદ્ધસેન પિતા ટી) પર્યાપ્તિ યુગલરૂપ છે અને તે આત્મારૂપ કર્તાનું કરણવિશેષ છે. પર્યાપ્તિ એટલે ક્રિયાની પરિસમાપ્તિ. પર્યાપ્તિ છ છે : આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, આણપાણ(=ઉચ્છવાસ-નિઃશ્વાસ) પર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને મન:પર્યાપ્તિ. જે જીવો પોતાને યોગ્ય ચાર, પાંચ કે છે પર્યાપ્તિમાંથી બધી પર્યાપ્તિઓ પૂરી કરે તે પર્યાપ્તનામકર્મવાળા જીવો છે, અને જે જીવો પોતાને યોગ્ય પર્યાપ્તિનો પ્રારંભ કરે પરંતુ બધી પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના મરે તો તે અપર્યાપ્તનામકર્મવાળા જીવો છે. (i) આહારપર્યાપ્તિ : शरीरेन्द्रियवाङ्मनःप्राणापानयोग्यदलिकद्रव्याहारणक्रियापरिसमाप्तिः आहारપર્યાપ્ત: | (તસ્વાર્થ સૂત્ર . ૮, સૂ. ૨૨, માધ્ય) શરીર, ઇન્દ્રિય, વાણી, મન, પાણ-અપાણને યોગ્ય એવા દલિકના દ્રવ્યને ગ્રહણ કરવાની ક્રિયાની પરિસમાપ્તિ એ આહારપર્યાપ્તિ છે. જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે ઔદારિક આદિ પુદ્ગલોને ગ્રહણ કરીને શરીર આદિ પાંચરૂપે પરિણમન પમાડવાનો પ્રારંભ કરે છે, અને તે પાંચેયને યોગ્ય એવા દલિકના દ્રવ્યગ્રહણની ક્રિયા પ્રથમ સમયે પૂરી થાય છે તે આહારપર્યાપ્તિ છે. વળી, આહારપર્યાપ્તિ પૂરી થયા પછીના સમયમાં પણ નવાં નવાં ઔદારિક આદિ પુદ્ગલો ગ્રહણ કરે છે, જેના દ્વારા શરીર આદિની રચનાનું કાર્ય થાય છે તે આહારપર્યાપ્તિનું કાર્ય છે. (i) શરીરપર્યાપ્તિ - गृहीतस्य शरीरतया संस्थापनक्रियापरिसमाप्तिः शरीरपर्याप्तिः, संस्थापनं रचना ઘટનમત્યર્થ(તસ્વાર્થ સૂત્ર રૂ. ૮, સૂ. ૨૨, માણ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy