SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ નવતત્વ પ્રકરણ | ગાથા-૨-૩ જીવના ચૌદ ભેદો, અજીવના ચોદ ભેદો, પુણ્યના બેતાલીસ ભેદો, પાપના વ્યાસી ભેદો, આશ્રવના બેંતાલીસ ભેદો, સંવરના સત્તાવન ભેદો, નિર્જરાના બાર ભેદો, બંધના ચાર ભેદો અને મોક્ષના નવ ભેદો છે. રા. (૧) “જીવતત્ત્વ”નું વર્ણન. (ગાથા ૩થી ૬) અવતરણિકા : સામાન્ય રીતે જીવ' શબ્દથી સર્વ જીવોનો સંગ્રહ થાય, અને તે પ્રમાણે સંસારી અને મુક્ત જીવોને ગ્રહણ કરીએ તો જીવના સંસારી અને મુક્ત એમ બે ભેદ પડે અને સંસારી જીવોના અવાંતર ભેદો થાય; પરંતુ નવતત્વમાં મુક્ત આત્માઓને જીવ શબ્દથી ગ્રહણ કરેલ નથી; કેમ કે મોક્ષ માટે અને અભ્યદય માટે ઉપયોગી એવા તત્ત્વનું જ્ઞાન કરાવવા અર્થે નવતત્વ બતાવેલ છે, અને મોક્ષ અને અભ્યદયની પ્રવૃત્તિ માટે સંસારી જીવોના ભેદનું જ્ઞાન આવશ્યક છે, જેથી અહિંસાદિની પ્રવૃત્તિ કરીને આત્મહિત સાધી શકાય. તેથી સંસારી જીવોના ભેદો ચૌદ છે, તેમ પૂર્વગાથામાં બતાવ્યું. અહીં કોઈને ભ્રમ થાય કે સંસારી જીવોના ચૌદ જ ભેદો છે, ધૂન કે અધિક નહિ? તેના નિવારણ માટે સંસારી જીવોના અન્ય રીતે પણ ભેદો પડી શકે છે, તે બતાવે છે – ગાથા - एगविह दुविह तिविहा, चउब्विहा पंच छव्विहा जीवा । વેયT-તસ-હિં, વેપાર-હિં સારૂ ગાથાર્થ : ચેતન, બસ અને ઈતર વડે સ્થાવર વડે, વેદ, ગતિ, કરણ અને કાય વડે એકવિધ, દ્વિવિધ, ત્રિવિધ, ચતુર્વિઘ, પંચ અને છવિધ જીવો છે. Il3II ભાવાર્થ : સંસારી જીવો ચેતન છે તે અપેક્ષાએ સર્વ સંસારી જીવોનો એક પ્રકારમાં સંગ્રહ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy