SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૧ ન થાય, પાંચ ઇન્દ્રિયો શાંત રહે અને મન પણ સર્વ પદાર્થો પ્રત્યે અનુત્સુક હોવાથી શાંત રહે. આવા શાંત યોગીનું ચિત્ત ભગવાનના વચન અનુસાર ઉચિત અનુષ્ઠાનમાં યત્ન કરીને તત્ત્વજ્ઞાનના સંસ્કારોનું આધાન કરે છે, જેથી સર્વવિરતિના ક્ષયોપશમભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. આ પ્રકારે પ્રવૃત્તિ કરનારા યોગીઓને સંપૂર્ણ અવિરતિનો સંવરભાવ હોય છે. તેથી મિથ્યાત્વના સંવરની પ્રાપ્તિ પછી અવિરતિના સંવરના અર્થીએ અવિરતિનું પારમાર્થિક સ્વરૂપ જાણીને અને અવિરતિના રોધવાળા મુનિના સ્વરૂપને જાણીને તેના પ્રત્યેના પક્ષપાતના સંસ્કારો સ્થિર કરવા યત્ન કરવો જોઈએ, જેથી પોતાનામાં વર્તતા અવિરતિના સંસ્કારોનો રોધ થાય અને મન, વચન અને કાયાના યોગો વિરતિને અનુકૂળ સંવરભાવવાળા બને. આ ભૂમિકાને પામેલા યોગીઓને મિથ્યાત્વ અને અવિરતિનો સંવરભાવ પ્રાપ્ત થાય છે પરંતુ કષાય અને યોગનો આશ્રવભાવ વર્તે છે. તેથી આ ભૂમિકાના યોગીઓ પોતાના કષાયોને અને પોતાના મન-વચન-કાયાના યોગોને મોક્ષના ઉપાયભૂત તપ-સંયમમાં પ્રવર્તાવે છે, જેથી વિદ્યમાન એવો કષાય અને યોગરૂપ આશ્રવ પણ ઉત્તરઉત્તરની સંયમની પ્રાપ્તિનું કારણ બને છે. આવા યોગીઓનો વિદ્યમાન રાગ ભગવાનના વચનમાં વર્તે છે અને ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિઓમાં વર્તે છે અને વિદ્યમાન દ્વેષ ભગવાનના વચનથી વિપરીત આચરણા પ્રત્યે વર્તે છે, જેથી તેઓમાં વર્તતા રાગ કે દ્વેષનો ઉપયોગ પણ અપ્રમાદભાવની વૃદ્ધિનું કારણ બને છે અને તેઓમાં વર્તતા મનવચન અને કાયાના યોગો પણ સંયમની વૃદ્ધિમાં પ્રવર્તે છે. (iii) કષાય આશ્રવના નિરોધનું સ્વરૂપ : આ રીતે અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરવાને કારણે અતિશય શક્તિનો સંચય થાય ત્યારે આવા યોગીઓ અસંગભાવમાં પ્રધાનપણે યત્ન કરે છે, અને અસંગભાવને પામેલા યોગીઓ સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવો પ્રત્યે અપ્રતિબદ્ધ માનસવાળા હોય છે. આ પ્રકારનું અપ્રતિબદ્ધ માનસ કષાયોના ઉચ્છેદમાં વર્તે છે અને જ્યારે અસંગભાવનો પ્રકર્ષ થાય ત્યારે આવા યોગીઓ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થાય છે. ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈને સર્વથા કષાયોનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy