SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ કેટલાં છે ? તે જિજ્ઞાસાથી તત્ત્વનો વિભાગ કરવામાં આવે તો સાત તત્ત્વથી ઓછાં તત્ત્વ બતાવવામાં આવે તો તે સમ્યગૂ વિભાગવાક્ય નથી. વળી, મોક્ષપ્રાપ્તિ થાય, અને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અભ્યદયની પ્રાપ્તિ થાય, તે બન્નેના અભિલાષથી ક્યાં તત્ત્વોનું જ્ઞાન આવશ્યક છે ? તેવી જિજ્ઞાસાથી તત્ત્વનો વિભાગ કરવામાં આવે તો આ નવતત્ત્વો જ બતાવવાં પડે, સાતતત્ત્વ પણ નહિ અને તેનાથી ન્યૂન પણ નહિ, તો જ સમ્યગૂ વિભાગવાક્ય બને. તેથી બંધતત્ત્વને કહ્યા પછી પણ પુણ્ય-પાપને સ્વતંત્ર બતાવ્યા તેમાં દોષ નથી; કેમ કે અભ્યદય અર્થે પુણ્યને ઉપાદેય બતાવવું હોય અને મોક્ષ અર્થે પુણ્યને અને પાપને હેય બતાવવું હોય તો આ રીતે વિભાગ કરવાથી જ બતાવી શકાય. વળી, સંસારી જીવોના ભેદમાં ત્રસ અને સ્થાવર કહેવાથી તમામ જીવોનો સંગ્રહ થઈ જાય છે, તેથી તે સમ્યગુ વિભાગવાક્ય છે. તેના બદલે કોઈ એમ કહે કે જીવ ત્રસ, સ્થાવર, પૃથ્વીકાય, અપૂકાય છે, તો તે અસંગત વિભાગવાક્ય છે; કેમ કે સ્થાવરના ગ્રહણથી પૃથ્વીકાય આદિ જીવોનું ગ્રહણ થઈ જાય છે. તેથી જીવના ભેદમાં ત્રસ અને સ્થાવર કહ્યા પછી પૃથ્વીકાય આદિ ભેદો સ્થાવરના અવાંતર ભેદો હોવાથી ગ્રહણ કરી શકાય નહિ. તેવી રીતે પુણ્ય અને પાપ બંધ” તત્ત્વના અવાંતર ભેદો છે. તેથી “બંધ' તત્ત્વને કહ્યા પછી પુણ્ય-પાપને સ્વતંત્ર તત્ત્વ તરીકે ગ્રહણ કરી શકાય નહિ. તેથી સ્થૂલથી વિચારકને આ નવતત્ત્વનો વિભાગ સંગત દેખાય નહિ. આમ છતાં, અહીં ભિન્ન દૃષ્ટિકોણથી વિભાગ છે, માટે દોષ નથી. તે આ રીતે – મોક્ષના આશયથી બંધતત્ત્વનું કથન છે. મોક્ષના આશયથી બંધ” હેય છે, તેમ બતાવવું છે, અને પુણ્ય-પાપ બંધના અવાંતર ભેદો છે. તેને સ્વતંત્ર બતાવીને અભ્યદય માટે પુણ્ય ઉપાદેય છે અને પાપ હોય છે, તેમ બતાવવું છે. આનાથી એ ફલિત થાય કે પુણ્ય અને પાપને છોડીને બાકીનાં સાત તત્ત્વો મોક્ષના ઉદ્દેશથી બતાવ્યાં અને અભ્યદયના ઉદ્દેશથી પુણ્ય-પાપ બતાવ્યાં, જેથી અભ્યદયનો અર્થી આરાધક જીવ પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ કરે અને પાપમાં હેયબુદ્ધિ કરે અને મોક્ષનો અર્થી આરાધક જીવ પુણ્ય અને પાપસ્વરૂપ “બંધ'માં હેયબુદ્ધિ કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy