SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ह्रीँ अहँ नमः । ॐ ह्रीं श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः । છે નમઃ | નવતર્વપ્રથમ પૂર્વભૂમિકા : દ્વાદશાંગીની રચનાનું ‘તત્ત્વ' શું છે ? અર્થાત્ “પરમાર્થ' શું છે ? એ પ્રકારની જિજ્ઞાસાથી “તત્ત્વ' શબ્દનો પ્રયોગ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે (i) “મોક્ષના ઉદ્દેશથી દ્વાદશાંગી રચાયેલી છે” એ પ્રકારના અર્થને સામે રાખીને વિચારીએ તો આ દ્વાદશાંગીનું તત્ત્વ અર્થાત્ પરમાર્થ સાત તત્ત્વોનો બોધ કરવો એ છે; કેમ કે આ સાત તત્ત્વોનો બોધ કરીને જીવ ઇષ્ટ એવા મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરવા સમ્યગુ યત્ન કરી શકે છે. (ii) “દ્વાદશાંગીની રચના મોક્ષ અને અભ્યદયના ઉદ્દેશથી થઈ છે” એ પ્રકારના અર્થને સામે રાખીને વિચારીએ તો દ્વાદશાંગીનું તત્ત્વ અર્થાત્ પરમાર્થ નવ તત્ત્વોનો બોધ કરવો એ છે, કેમ કે સંસારમાં કેટલાક જીવો મોક્ષના અર્થી હોવા છતાં સાક્ષાત્ મોક્ષના ઉપાયમાં ઉદ્યમ કરી શકે એવા નથી. તેવા જીવો મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મોક્ષપ્રાપ્તિમાં અત્યંત ઉપકારક એવા અભ્યદયને અર્થાત્ સદ્ગતિની પરંપરાને પણ પ્રાપ્ત કરે, તે આશયથી મોક્ષ અને અભ્યદય પ્રાપ્ત કરવા માટે જે ઉપયોગી હોય તે દ્વાદશાંગીનો પરમાર્થ છે, અને તેને બતાવવા માટે નવતત્ત્વનો વિભાગ કરેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy